SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ખાનેથી મળી ગયે છે, તેથી તેણે મુહૂર્તમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે, તે હવે આપણા બન્નેનું મૃત્યુ નજીક છે; એવામાં ત્યાં એક યોગી આવી ચડ્ય; તેણે હેમચંદ્રજીના મસ્તકમાં મણિ જે, તેથી તે લેવાની તેણે તદબીર રચવા માંડી. એક દિવસે હેમચંદ્રજી મહારાજને કેઈક શિષ્ય આહાર લઈને આવતા હતા, તે આહારની ઝોળીમાં તે ગીએ હાથ ચાલાકી વાપરી ઝેર નાખી દીધું; તથા તે શિષ્ય સાથે તે કેટલીક મીઠી વાતે કરીને ચાલ્યો ગયો. તે મુગ્ધ મુનિને તે બાબતની ખબર ન રહેવાથી તે આહાર તેમણે હેમચંદ્રજીને ભેજન માટે આપ્યો; હેમચંદ્રાચાર્યે ભેજન કર્યું ત્યાર પછી તેમનું શરીર કંપવા લાગ્યું, ત્યારે તુરત તેમણે તે શિષ્યને બેલાવી પૂછવાથી માર્ગમાં મળેલા તે ગીની હકીકત માલુમ થઈ; જેથી સૂરિશ્રીએ વિચાર્યું કે જેમ ભાવિ બનનાર હતું તે બન્યું છે. પછી તેમણે પોતાના શિષ્યને બેલાવી કહ્યું કે “જ્યાં મારી ચિતા સળગાવે, ત્યાં મારા મસ્તક નીચે એક દૂધથી ભરેલું પાત્ર રાખજે, જેથી મારા મસ્તકમાં રહેલું મણિ તેમાં પડશે, તે મણિને તમે સાચવીને રાખજે અને કેઈ પણ રીતે તે મણિને તે રોગીના હાથમાં જવા દેશે નહિ.” આમ કહી અનશન કરી હેમચંદ્રસૂરિ મહારાજ ચોરાશી વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં સ્વર્ગે પધાર્યા, ત્યાર પછી કુમારપાળ રાજાનું મરણ પણ અજયપાળે આપેલા ઝેરથી વિકમ સંવત ૧૨૩૦ માં થયું. ૧૫ જૈનેમાં સમકાલિન પ્રખર વિદ્વાનો આ વખતે તપાગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્દ હરિભદ્રસૂરિ કૃત અનેક પુસ્તક પર સમથ અને વિદ્વતાપૂર્ણ ટીકા લખનાર તાર્કિક શિરોમણિ શ્રી મુનિચંદ્રસૂરિ હતા. તેમનો જન્મ સંવત ૧૧૩૪ માં પણ દીક્ષા હેમચંદ્રસૂરિએ લીધેલી દીક્ષા પછી બે વર્ષે એટલે સં. ૧૧૫ર માં, સૂરિપદ સં. ૧૧૭૪માં, અને સ્વર્ગગમન ૧૨૨૦ માં થયું હતું. આ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય શ્રી અજિતદેવસૂરિ તથા દેવસૂરિ પણ વિદ્વાન પંડિતે હતા.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy