________________
૩૦
શિકારી તથા કેળીભીલ જે હતા તેઓને પણ આ આજ્ઞાપત્રથી શિકાર બંધ કરવું પડે. ખાટકી કસાઈને ધધો ભાંગી પડો (કે જેનું વર્ણન દ્વાશ્રય કાવ્યમાં આપવામાં આવ્યું છે)ને તેના બદલામાં તેને ત્રણ વરસની પેદાશ જેટલી રકમ તેઓને એકંદર આપવામાં આવી.
રાજા ચુસ્ત જેનધમ બની અનર્ગલ દ્રવ્ય. જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રમાં ખસ્યું અને હંમેશાં દેવપૂજા, આવશ્યક આદિ ક્રિયા કરતે. તે રાજાને હમેશાં સ્વાધ્યાય કરવા માટે હેમચંદ્રસૂરિએ ચોગશાસ્ત્ર એ નામનું પુસ્તક બનાવ્યું તે અતિ મનોહર અને સાદી શિલિમાં જૈનધર્મનું રહસ્ય દાખવનાર અને આત્માને ઉચ્ચ પરિણતિ પર લાવનાર ગ્રંથ. છે કે જે આ સાથે સામેલ છે એટલે વિશેષ લખવાની જરૂર પણ નથી.
બીજું ઉતા નામનો રોગ કુમારપાળની રાજગાદી પર વંશપરંપરાથી ઉતરી આવેલ હતો તે સૂરિશ્રીએ મંત્રના પ્રભાવથી દૂર કર્યો, તેમ જ બ્રાહ્મણ ધર્મના દેવાધિ આચાર્ય સાથે વાદવિવાદ થતાં આજે શું તિથિ છે એમ પૂછતાં તે વખતે અમાવાસ્યા હતી છતાં પ્રમાદથી પૂર્ણિમા એમ આચાર્યશ્રીથી કહી જવાયું, એટલે બ્રાહ્મણેએ મશ્કરી કરી. આ મશ્કરી ટાળવા માટે મંત્રના પ્રભાવથી તે રાત્રે પૂર્ણિમાના ચંદ્રની જ્યોતિ બાર ગાઉ સુધી પ્રગટ કરી.
૧૪. કાલધર્મ–દેહત્સર્ગ. શ્રી હેમચંદ્રાચાર્યશ્રીને દેહત્સર્ગ કઈ રીતે થયું તેને માટે જુદી જુદી દંતકથા ચાલે છે. સાક્ષર મણિલાલ નભુભાઈ પિતાના દ્વાશ્રયના ગુજરાતી ભાષાંતરમાં લખે છે કે “શંકરાચાર્યે ઝેર દેવરાવી મારી નાંખ્યા, તે કઈ પાયાવગર કહે છે કે શંકરાચાર્યને ને એમને વાદ થયેલ તેમાં શંકરાચાર્યે કુમારપાળના મહેલને છેલ્લે માળથી માયાવી પ્રલય દેખાડી માયાવી હેડી તેમને બતાવી, તેમાં પોતે બેસવા ગયા એટલે નીચે પડી જુદાઈ મુ. પણ એ વાતે પર કરો આધાર પણ રાખી શકાય નહિ.”