SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ તે જ બતાવે છે " त्रयस्त्रिंशदहचरे, त्वेकाहेनापि पश्चता । एवं यदीन्दुनाडयां स्यात् , तदा व्याध्यादिकं दिशेत् ॥ ११६ ॥ તેત્રીસ દિવસ સુર્યની નાડિમાં પવન ચાલે તે એક દિવસમાં જ મરણ થાય. આજ પ્રમાણે પણુકાળમાં જે ચંદ્રનાડિમાં જ પવન ચાલ્યા કરે તે વ્યાધિ થાય. આદિ શબ્દથી મિત્રવિનાશ, મહા ભય, પરદેશગમન, ધનવિનાશ, પુત્રવિનાશ, રાજ્યને નાશ અને દુલિંક્ષાદિ ઉત્પન્ન થાય. ૧૧૬. अध्यात्म वायुमाश्रित्य, प्रत्येक सूर्यसोमयोः । एवमभ्यासयोगेन, जानीयात्काकनिर्णयम् ॥ ११७ ॥ આ પ્રમાણે શરીરમાં રહેલો ચંદ્ર સૂર્ય સંબંધી પ્રત્યેક વાયુના અભ્યાસ કરી કાલને (આયુષ્યને) નિર્ણય જાણુ. ૧૧૭. શાળામિવિર્યા, માથાપિતોડ દિયા तनिश्चयाय बध्नामि, बाह्य कालस्य लक्षणम् ॥ ११८ ॥ કદાચ વ્યાધિ કે રોગ થવાથી પણ શરીર સંબંધી વાયુને વિપયસ થઈ આવે છે, માટે કાળજ્ઞાનને નિશ્ચય કરવા માટે આયુષ્ય જાણવાનું બાહ્ય લક્ષણ બાંધું છું. ૧૧૭. વિવેચન–રોગના કારણથી કેટલીક વખત એક નાડી વધારે વખત વહ્યા કરે છે, કે બીજી નાડી ચાલતી નથી. આમ હોવાથી આયુષ્ય નિર્ણય કરવા માટે આયુષ્ય નિર્ણયનું બીજું લસણ આચાર્ય. બતાવે છે, તેને પણ પ્રયોગ સાથે અજમાવી કાળને ચોકકસ નિર્ણય કરવો. ૧૧૮. नेत्रश्रोत्रशिरोभेदात् , स च त्रिविधलक्षणः । निरीक्ष्य सूर्यमाश्रित्य, यथेष्टमपरः पुनः ॥ ११९ ॥ નેત્ર, શ્રોત અને મસ્તકના ભેદથી ત્રણ પ્રકારના લક્ષણને જણાવવાવાળા આ બાહ્ય કાળને સૂર્યને અવલંબીને જે અને આ ત્રણ પ્રકારથી અન્યકાળના ભેદને યથા ઇરછાએ જોવા. ૧૧૯
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy