SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ દેવપત્તનામાં મહાદેવના સન્મુખ ઉભા રહી દેરાસરમાંજ રચના કરી બતાવે છે, તેમાં જણાવ્યું કે भवबीजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥ અર્થ—ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દેશે જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હય, વિષ્ણુ હોય, શંકર હેય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ. આ સાંભળી તે બ્રાહ્મણે ચકિત થઈ ગયા, રાજા હર્ષિત થયો. પછી સૂરિએ રાજાને ત્યાં મંત્રના પ્રભાવથી સાક્ષાત્ મહાદેવનાં દર્શન કરાવ્યાં. મહાદેવને ખરો ધર્મ શું છે તે રાજાએ પૂછતાં જણાવ્યું કે હે રાજન ! તને ધર્મપ્રાપ્તિ આ બ્રહ્મા જેવા હમાચાર્યથી થશે.” આ વખતથી રાજા અત્યંત ભક્તિથી આચાર્ય સાથે વર્તવા લાગ્યા. ૧૨ બ્રાહ્મણે સાથે વાદવિવાદ. કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતે જોઈ બ્રાહ્મણને દ્વેષ થાય તે સ્વાભાવિક જ છે. તેથી તેમણે પિતાના મંબ તંત્રવાદી એવા દેવબેધિ નામના શંકર આચાર્યને લાવ્યા. દેવધ એ શંકરાચાર્યના મઠને આચાર્ય હતે એમ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં સાક્ષર મણિલાલ નભુભાઈ લખે છે. આ આચાર્યો મંત્ર, તંત્ર, ગારૂડી વિદ્યા, ઇંદ્રજાળ આદિ અનેક ખેલ કરી વાદવિવાદ કર્યો અને રાજાને ઈંદ્રજાળથી એવું દેખાડયું કે જેથી રાજાના ઘરડાં પૂર્વજે આવીને કહેવા લાગ્યા કે “તું જેન ધર્મ પાળીનરકે જઈશ.” ત્યારે આચાર્યો તેવી જ ઇંદ્રજાળ કરી બતાવ્યું કે તેઓ કહે છે કે “તું સ્વર્ગે જઈશ” અને તે ઉપરાંત પ્રતિકાર તરીકે સામી બધી વિદ્યા વાપરી જણાવી. આથી તે આચાર્ય નિરૂત્તર થયે અને ચાલ્યા ગયે. ૧૩ આચાર્યના અન્ય મહાન કાર્યો.. આચાર્યના કહેવાથી કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પિતાને મિત્ર કરી તેને પ્રતિબંધીને જૈનધર્મી કર્યો;
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy