________________
બદલો મારાથી કઈ રીતે વળી શકે તેમ નથી, માટે હે પ્રભે! આપે પ્રથમથી જ મારા પર નિ:કારણ ઉપકાર કર્યો છે, અને આપનું તે કરજ હું જ્યારે વાળીશ?” આચાર્યશ્રીએ ત્યારે કહ્યું કે “હે રાજન! હવે દિલગીર ન થાઓ. તમને ઉત્તમ પુરૂષ જાણીને જ મેં ઉપકાર કર્યો છે. હવે અમારા ઉપકારના બદલામાં તમે ફક્ત જૈન ધર્મ સમાચરે, એટલી મારી આશીષ છે કુમારપાળે જવાબમાં કહ્યું કેઃ “હે ભગવાન ! આપની તે આશિષ તે મને હિતકારી છે.” એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો.
૧૧. હેમચંદ્રસૂરિ અને શિવમંદિર
એક વખત એક પુરુષે રાજસભામાં આવી રાજાને વિનંતિ કરી કે “િહે મહારાજ ! દેવકીપાટણ-પ્રભાસપાટણનું સેમેશ્વરનું દહેરૂં પડી ગયું છે, તે તેને જીર્ણોદ્ધાર કરાવે.” રાજાએ કહ્યું કેઃ “બહુ સારું, જ્યાં સુધી હું તે દેહરૂં ન સમરાવું, ત્યાં સુધી હું માંસ નહિ ખાઉં.”,
રાજાએ ત્યાર પછી દહેરાને જીર્ણોદ્ધાર કરાવ્યું અને પછી માંસભક્ષણ ચાલુ કીધું. ત્યારે હેમચંદ્રજીએ કહ્યું: “રાજન ! આપણે ચાલે સેમેશ્વરને દહેરે જઈને જોઈએ, અને ત્યાં સુધી માંસની આખડી લ્યો.” રાજાએ તેમ કરવા હા પાડી.
પ્રભાસપાટણ જવાનું સૂરિએ પ્રયાણ કર્યું. ત્યારે રાજાએ હેમચંદ્રજી. ગુરુને પાલખીમાં બેસવા કહ્યું, પણ ગુરુશ્રીએ તે ન સ્વીકાર્યું. કારણ કે મુનિ હમેશાં પગે જ ચાલે. પછી આગળથી જવાનું કહી પોતે પછી આવશે એમ કુમારપાળ રાજાએ કહ્યું. સૂરિ શત્રુંજય ગિરનાર વિગેરે જઈ યાત્રા કરી દેવકીપાટણ આવ્યા, ત્યાં રાજા પણ આવ્યા.
આ વખતે કેટલાક દ્વેષી બ્રાહ્મણે કહ્યું કે “રાજન ! સર્વ કઈ સોમેશ્વર દેવને માને છે, પણ હેમસૂરિ શીશ નમાવે તેમ નથી.” રાજાએ શા માટે મહાદેવને પૂજતા નથી એમ પૂછતા સૂરિશ્રીએ જવાબ આપ્યો કે “નિર્ગથ એવા યતિઓ મહાદેવની દ્રવ્યથી પૂજા કરતા નથી, પણ તેઓ માત્ર ભાવથી જ પૂજા કરે છે, તેથી હું મહાદેવની પૂજા ભાવથી કરીશ.” પછી આચાર્યશ્રી આ વખતે મહાદેવસ્તુત્ર