SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ થશે.” આ સાંભળી કુમારપાળ નાસીને હેમચંદ્રાચાર્ય પાસે આવ્યા, ત્યારે તેમણે ઉપાશ્રયના ભેંયરામાં છુપાવ્યો, તથા ઉપર પુસ્તકે ખડકી મૂક્યાં. કુમારપાળની શોધ માટે આવેલ સિદ્ધરાજનાં માણસો એ ઉદયન મંત્રી તથા હેમચંદ્રસૂરિને ત્યાં ઘણી તપાસ કરી, પરંતુ ત્યાં પત્તો નહિ મળવાથી નિરાશ થઈ પાછા ગયા. પછી કુમારપાળે વિદેશમાં ભ્રમણ કરવા માંડયું. અનેક સંકટે ફરી સહન કરી સિદ્ધરાજ મૃત્યુ પામ્યાની ખબર મળતાં પાટણમાં આવ્યા અને પ્રધાનએ કુમારપાળને આચાર્યશ્રીએ કહેલા દિવસે જ રાજગાદી આપી. . . ૧૦ કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્ય પિતાના સંકટમાં મદદ કરનાર સર્વને કુમારપાળ રાજાએ નવાજ્યા અને જે જે વચને બીજાને આપ્યાં હતાં તે પાળ્યાં, પણ દૈવયોગે પિતાના ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યશ્રીને વિસરી ગયે. એક સમયે હેમચંદ્રજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે “આજે કુમારપાળ રાજાની નવી રાણના મહેલમાં મધ્યરાત્રીએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાને છે, માટે આજે રાજાને ત્યાં જતાં અટકાવજે, અને આ બાબતની જે વધારે પુછપરછ રાજ કરે તે મારું નામ જણાવજે.” ઉદયન મંત્રીએ રાજાને તે રાત્રીએ ત્યાં જતાં અટકાવ્યા. અને તે જ રાત્રે ત્યાં વીજળી પડવાથી તે રાણીનું મરણ થયું. આ વખતે રાજાએ ઉદયન મંત્રીને બેલાવી પૂછયું કેઃ “હે મંત્રી ! આ ભવિષ્યજ્ઞાની માણસ તમને કેણ મળ્યો કે જેણે મને આજે જીવિતદાન આપ્યું.” મંત્રીએ જણાવ્યું કે “હે રાજન ! અહીં શ્રી હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે અને તેમણે આ વાત જણાવી આપને ત્યાં જતાં અટકાવ્યા છે.” આ સાંભળી બહુ ખુશી થઈ રાજાએ આચાર્યશ્રીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રજી ત્યાં ગયા, એટલે રાજાએ ઉભા થઈ તેમને વંદન કર્યું. તથા હાથ જોડી આંખોમાં આંસુ લાવી કુમારપાળે કહ્યું “હે ભગવાન! આપને મુખ દેખાડતાં મને શરમ આવે છે. કારણ આજદિન સુધી આપને મેં સંભાર્યા પણ નહિ આપના ઉપકારને
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy