SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ એ ચારે વાયુનું સૂક્ષ્મ ફળ બતાવે છે શશા રવિપાળ, વાયવો સ્ટેશ્વમી ! विशंतः शुभदाः सर्वे, निष्कामंतोऽन्यथा स्मृताः ॥ ५७ ॥ ચંદ્ર અને સૂર્ય માર્ગે થઈ (ડાબી અને જમણી નાડીમાં થઈ) આ ચારે મંડળમાં પ્રવેશ કરતા વાયુ સર્વે શુભ દેવાવાળા છે અને તે મંડળમાંથી નીકળતા અશુભ દેનારા કહ્યા છે. ૫૭. તેનું કારણ બતાવે છે प्रवेशसमये वायुर्जीवो मृत्युस्तु निर्गमे । उच्यते ज्ञानिभिस्तादृक् फलमप्यनयोस्ततः ।। ५८ ॥ વાયુ જ્યારે મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેને જીવ કહે છે અને મંડળમાંથી નીકળે છે ત્યારે તેને મૃત્યુ કહે છે, માટે તે બેઉનું ફળ જ્ઞાની પુરુષે તેવું જ કહે છે. ૫૮. " વિવેચન-તાત્પર્ય એવું છે કે જ્યારે વાયુ પૂરકપણે મંડળમાં પ્રવેશ કરે છે (નાસિકાની અંદર લેવાતે હેય) ત્યારે જે કઈ પ્રશ્ન કરે કે કાર્યને પ્રારંભ કરે છે તે કાર્ય સિદ્ધ થાય છે અને જ્યારે રેચકરૂપે મંડળમાંથી બહાર નીકળે ત્યારે કોઈ પ્રશ્ન અથવા પ્રારંભ કરે તે તે કાર્ય સિદ્ધ થતું નથી. ૫૮. ઇડાનાડિને માગે પ્રવેશ કરતા વાયુનું શુભાશુભ અને મદયમપણું બતાવે છે पथेंदोरिंद्रवरुणौ विशंतो सर्वसिद्धिदौ । रविमार्गेण नियस्तो प्रविशंतौ च मध्यमौ ॥ ५९ ॥ ચંદ્ર માર્ગે (ડાબી નાસિકાને માગે) પ્રવેશ કરતા પુરંદર અને વરુણ વાયુ સર્વે સિદ્ધિને આપે છે અને સૂર્ય માર્ગે (જમણી નાસિકાને માર્ગે) નીકળતા અથવા પ્રવેશ કરતા તે બેઉ વાયુ મધ્યમ ફળ આપનાર છે. - વિવેચન-ડાબી બાજુના નસકોરાને ચંદ્ર યા ઇંડાન ડિ કહે છે અને જમણી બાજુના નસકેરાને પિંગલા યા સૂર્યનાડિ કહે છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy