________________
ગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ સમાનવાયુ અને અપાનવાયુને જીતવાથી, ગડ, ગુંબડ અને ઘા આદિનાં ત્રણ (છિદ્રો) રૂઝાઈ જાય, હાંડકું ભાંગી ગયું હોય તે સંધાઈ જાય, ઉદરની અગ્નિ પ્રદીપ્ત થાય, મળ મૂત્રાદિક ચેડાં થાય અને રેગોનો નાશ થાય. ૨૩.
उत्क्रान्तिर्वारिपकाद्यैश्वाबाधोदाननिर्जये । जये व्यानस्य शीतोष्णासङ्गः कान्तिररोगिता ॥२४॥
ઉદાનવાયુને જય કરવાથી ઉત્ક્રાંતિ એટલે મરણ અવસરે દશમે દ્વારથી પ્રાણત્યાગ કરી શકાય. પાણી તથા કાદવથી શરીરને બાધા ન થાય, આદિ શબ્દથી કટાદિકની પીડા પણ ન થાય. વ્યાનવાયુને
કરવાથી ટાઢ અને તાપની અસર થતી નથી, શરીરનું તેજ વધે અને નિરોગીતાની પ્રાપ્તિ થાય. ૨૪. પાંચે વાયુને જીતવાનું જુદાં ફળે બતાવી હવે પાંચે
વાયુ જીતવાનું ભેગું ફળ બતાવે છે यत्र यत्र भवेत् स्थाने, जन्तोः रोगः प्रपीडकः । तच्छान्त्यै धारयेत्तत्र, प्राणादिमरुतः सदा ॥ २५ ॥
જે જે ઠેકાણે પ્રાણિઓને પીડા કરનાર રોગ થયો હોય તેની શાંતિને માટે તે તે ઠેકાણે પ્રાણદિવાયુને ત્યાં રોકી રાખવે. ૨૫.
વિવેચન–શરીરના કોઈ પણ ભાગમાં પાંચ વાયુમાંથી કઈ પણ વાયુનું સ્થાન હોય છે, તે આગળ બતાવી ગયા છીએ, તે જે ઠેકાણે રોગ ઉત્પન્ન થયો હોય તે રોગ મટાડવા માટે પ્રથમ પૂરક કરી, તે રોગને ઠેકાણે (રેગના ઉપર) કુંભક કરે, આમ કરવાથી તે રોગ નાબુદ થશે. ઘણે ભાગે વાત, પિત્ત અને કફની વિષમતાથી રોગોની ઉત્પત્તિ થાય છે. તે ઠેકાણે વાયુને રોકવાથી ખરાબ તને દૂર થઈ, વાયુ વગેરે વિષમતા ચાલી જાય છે અને મનુષ્ય નિરોગી બને છે. આમ કરવાથી કર્મનો સિદ્ધાંતને કોઈ પણ રીતે હાનિ પહોંચતી નથી. કેમકે કેટલાક રોગોની કે અશાતાદનીની શાંતિ આવા ઉપચારથી કે આવાં નિમિત્તેથી પણ થઈ શકે છે. કોઈ