________________
૨૪૦
ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ क्षमया मृदुभावेन, ऋजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायाँ लोभं रुन्ध्याद् यथाक्रमम् ॥ ८२ ॥ असंयमकृतोत्सेकान् विषयान् विषसन्निभान् । निराकुर्यादखण्डेन, संयमेन महामतिः ॥ ८३ ॥ तिसृभिर्गुप्तिभिर्योगान् , प्रमादं चाप्रमादतः । सावधयोगहानेनाविरतिं चापि साधयेत् ॥ ८४ ॥.
सद्दर्शनेन मिथ्यात्वं, शुभस्थैर्येण चेतसः। ... ' ' વિયેતાdદ્દે ઘ, સંવર્થ કૃતામ | ૮ |
જે જે ઉપાયે કરી છે જે આશ્રવ રોકાય તેના તેના નિરેધને માટે તે તે ઉપાયો વિદ્વાએ ઉપગમાં પાડવા. સંવર માટે ઉદ્યમ કરનાર મનુષ્યએ ક્ષમા, કે મળતા, સરલતા અને અનિરછા (સંતેષ) વડે અનુક્રમે ક્રોધ, માન, માયા તથા લોભને રોકવા. અસંયમે કરી (ઈદ્રિયોની સ્વછંદ પ્રવૃત્તિઓ કરી) વૃદ્ધિ પમાડાતા વિષ સરખા વિષયોને બુદ્ધિમાને અખંડ સંયમવડે (જિતેન્દ્રિયપણે) કરી દૂર કરવા. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ વડે મન, વચન, કાયાના યોગોને, અપ્રમાદથી પ્રમાદને અને સાવદ્ય (સપાપ–સદેષ)
ગોને ત્યાગ કરવા સાથે વિરતિને પણ સાધવી (સ્વાધીન કરવી). તેમજ સમ્યક્ત્વ વડે મિથ્યાત્વને અને શુભ વિચારોમાં મનને સ્થિર કરી આત્ત તથા રૌદ્રધ્યાનને વિજય કરે. ૮૧ થી ૮૫.
સંવરભાવના વિવેચન–જેમ રાજમાર્ગ ઉપર અનેક કારવાળું ખુલ્લું ઘર હોય તે બારણના માર્ગથી તેમાં ધૂળ ભરાય છે, તેમ આ સંસાર રૂપ રાજરસ્તામાં રાગદ્વેષરૂપ ખુલ્લાં દ્વાર વડે કર્મરૂપ ધૂળ ભરાય છે. પણ જે દ્વારા બંધ કરવામાં આવ્યાં હોય તો કર્મરૂપ ધૂળ ભરાવાને સંભવ નથી. અથવા જેમ સરોવરમાં પાણી આવવાના રસ્તાઓ ખુલ્લા હોવાથી તે દ્વારા પાણી અંદર આવે છે અને તે