________________
નિર્જરાભાવનાનું સ્વરૂપ
૨૪૧ દ્વારે બંધ કરવાથી પાણી આવતું અટકે છે. તેમ અઢાર પાપસ્થાનકરૂપ દ્વારાથી પાપરૂપ પાણી આ જીવ સરોવરમાં આવે છે અને તે પાપસ્થાનકેને બંધ કરવાથી પાપ આવતું અટકે છે. અથવા વહાણમાં છિદ્ર હોવાથી છિદ્રદ્યારે પાણી અંદર પેસે છે, પણ છિદ્ર બંધ કરવાથી પાણી આવતું અટકે છે, તેમ ગાદિ આશ્રવારે બંધ કરવાથી સંવરવાળા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થતું નથી. સંવરે કરી આશ્રવદ્વાને રોધ કર. આ સંવર ક્ષમાદિ ભેદથી અનેક પ્રકાર છે જે પૂર્વે કહેવાય છે. તથાપિ સંક્ષેપમાં એ જ કહેવાનું છે કે મિથ્યાત્વનાં અનુદયથી મિથ્યાવસંવર, દેશથી વિરતિ, કરતાં દેશવિરતિસંવર, સર્વથા વિરતિ કરતાં સર્વવિરતિસંવર, અપ્રમત્ત સંયતિને પ્રમાદસંવર, પ્રશાંત મોહ યા ક્ષીણમાહ ગુણઠાણે કષાયસંવર અને અગી કેવલી (ચૌદમે ગુણઠાણે) પરિપૂર્ણ યોગસંવર. આ પ્રમાણે આશ્રવના નિરોધરૂપ સંવર કહ્યો. આ સંવર સર્વ ભાવનામાં શિરોમણિ તુલ્ય છે. માટે આ ભાવનાનું વારંવાર મનનપૂર્વક રટણ કરવું, જેથી કર્મબંધ રોકવાના કારણે માં પ્રબળ જાગૃતિ થતાં સંવરની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે પ્રયત્ન કરી આશ્રવને રોકવાથી સંવર એટલે આવતાં કર્મો બંધ થાય છે. તે સંવરભાવના કહેવાય છે.
1 - નિર્જરાભાવનાનું સ્વરૂપ
संसारवीजभूतानां, कर्मणां जरणादिह । - નિરા તા તા Àધા, સંજામાં જામવંતા ૮૬
ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणों फलवत्पाको, यदुपायात्स्वतोऽपि हि ॥ ८७ ॥ सदोषमपि दीप्तेन, सुवर्ण वहिना यथा । तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥ ८८ ॥ अनशनमौनोदय, वृत्तेः संक्षेपणं तथा । रसत्यागस्तनुक्लेशो, लीनतेति बहिस्तपः ॥ ८९ ॥