SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ યોગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ સેબત, ધર્મશ્રવણ સુપાત્રદાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયની વિરાધના, મરણ અવસરે પતિ અને પત્ર લેશ્યાના પરિણામ, બાળપ, શુભ પરિણામપૂર્વક અગ્નિ, પાણી આદિમાં મરણ અને અવ્યક્ત (અર્થ કારણ સમજ્યા વગર) સામાયિક વિગેરે દેવ આયુષ્ય બાંધવાનાં કારણો છે. મન, વચન કાયાનું વકપણું, બીજાને ઠગવા, માયાપ્રયોગ, મિથ્યાત્વ, પશુન્ય, ચળચિત્તતા, વસ્તુઓમાં ભેળસેળ કરવું, જૂઠી સાક્ષી ભરવી, અન્યના અંગોપાંગ કાપવાં, યંત્ર, પિંજરા વિગેરે બનાવવાં, બેટા તેલા માપાં બનાવવાં, અન્યની નિંદા, પિતાની પ્રશંસા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, આરંભ, મહા પરિગ્રહ, કઠેર અને અસભ્યતાવાળા વચને વાચાલપણું, આક્રોશ, પરના સૌભાગ્યને નાશ કરે, કર્મની ક્રિયા, કુતુહલ, પરની હાંસી, વિડંબના કરવી, વેશ્યા વગેરે નીચ સ્ત્રીઓનું પિષણ, દાવાનળ આપ, દેવાદિકના બાનાથી વસ્તુ લઈ પિતે ભેગવવી, તીવ્ર કષાય, ચિત્ય, ઉપાશ્રય, ધર્મશાળા અને પ્રતિમાદિને વિનાશ કર અને અંગારા પાડવાદિકની ક્રિયા, એ સર્વે અશુભ નામકર્મ બંધનનાં આશ્રવે છે. અશુભ નામકર્મનાં નિમિત્તોથી ઉલટી રીતે વર્તન કરવું, સંસારથી ભય પામવે, પ્રમાદ ઓછો કરે, સદભાવ અર્પણ ક્ષમાદિની વૃદ્ધિ, ધર્મી પુરુષનાં દર્શનથી સંભ્રમ, તેની સ્વાગતક્રિયા, આ શુભ નામકર્મબંધનનાં કારણે છે. અરિહંત, સિદ્ધ, ગુરુ, સ્થવિર, બહુશ્રુત, ગ૭, શ્રુતજ્ઞાન અને તપસ્વીઓની ભક્તિ કરવી, આવશ્યક અને શીયળને વિષે અપ્રમાદ, વિનીતપણું જ્ઞાનાભ્યાસ, તપસ્યા, ત્યાગ, વારંવાર ધ્યાન, શાસનની પ્રભાવના, સંઘમાં શાંતિ કરવી, સાધુઓની વૈયાવચ્ચ, અપૂર્વ જ્ઞાન ગ્રહણ, વિશુદ્ધ સમ્યક્ત્વ, આ વીશ સ્થાનકેનું મન, વચન, કાયાથી સેવન કરવામાં આવવાથી તીર્થકર નામકર્મ બંધાય છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy