________________
અત્યત્વભાવના
૨૩૧
ફળ-ફુલવાળાં વૃક્ષોને યા જંગલોને આશ્રય હજારો પ્રાણિઓ લે છે, પણ વૃક્ષ મૂળથી ઉખડી ગયું હોય કે વનમાં દાવાનળ લાગ્યા હેય તે તત્કાળ તે વૃક્ષનો કે વનનો ત્યાગ કરી પ્રાણિઓ બીજાને આશ્રય લે છે, તેમાં સ્વાર્થ ન સરવાથી કે પૂર્ણ થવાથી પ્રાણિઓ પિતાપિતાને રસ્તે પડે છે અને વૃક્ષની કે વનની જેમ પાપ કરનાર દુઃખાદિને અનુભવ કરે છે. છ ખંડ પૃથ્વીનું સામ્રાજ્ય, નવનિધાન, ચૌદ રત્ન અને હજારો અનેઉરીને ત્યાગ કરી ચક્રવર્તી જેવા મહાન પરાક્રમી રાજાઓ પણ એકલા ચાલતા થયા. ત્રણ ભુવનમાં નિષ્ફટક બીરૂદ ધારણ કરનાર અને મહાન ગર્વિષ્ટ તથા બલિષ્ટ રાવણ જેવા રાજાએ સર્વ વસ્તુને ત્યાગ કરી એકલા જ રણશય્યામાં પિલ્યા, પરિવાર કેઈ સાથે ન ગયો અને નરકાદિ ભયંકર સ્થળમાં દુખને અનુભવ એકલાને જ કરવો પડ્યો. માટે હે આત્મન ! જાગૃત થા, ક્ષણભંગુર દુઃખદાઈ અને કેવળ સ્વાથી આ પરિવારને ત્યાગ કર. અને પરમાનંદ સ્વરૂપ, અક્ષય તથા અવ્યય સ્વરૂપ પ્રકટ કરી તેને આનંદ અનુભવ.
અન્યત્વભાવના पत्रान्यत्वं शरीरस्य, वैसादृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां, तत्रान्यत्वं न दुर्वचम् ॥ ७० ॥ यो देहधनबन्धुभ्यो, मिनमात्मानमीक्षते । હત શશિના તથ, સુરતા પ્રખ્યાત ૭૨ .
જ્યાં મૂર્ત, અમૃત, ચેતન, જડ, નિત્ય, અનિત્યાદિ વિસરશપણથી, આત્મા કરતાં શરીરનું જુદાપણું સ્વતઃ સિદ્ધ છે ત્યાં ધન બાંધવાદિ સહાયિઓનું કહેવું કે તેઓ આત્માથી જુદા છે તે અતિશય ઉક્તિવાળુ નથી. અરે, જે માણસ દેહ, ધન અને બંધુ આદિથી ભિન્ન જુદો જ આત્માને જુવે છે તેને વિયેગાદિ જન્ય શેકરૂપ શલ્ય કેવી રીતે પીડા કરી શકે? આ પ્રમાણે દેહ, ગેહ,