SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ સ્વજનાદિથી આત્મા ભિન્ન છે તેમ વિચારી નિર્મળ થવું તે અન્યત્વભાવના. ૭૦, ૭૧ વિવેચન–અન્યત્વ એટલે જુદાપણું. એક સ્વરૂપથી બીજા સ્વરૂપનું વિલક્ષણપણું. આ વિલક્ષણ પણું આત્મા અને દેહના સંબંધમાં પ્રત્યક્ષ અનુભવાય છે. આત્મા ચૈતન્ય લક્ષણ છે. ત્યારે ચયાપચય ધર્મવાળું શરીર જડ સ્વરૂપ છે. દેહાદિ ઈદ્રિયગ્રાહ્ય છે. આત્મા અનુભવ ગોચર છે. અહીં કેઈ શંકા કરે છે કે, “આત્મા અને દેહ જે પ્રગટ રીતે જુદાં જ છે તે દેહ ઉપર પ્રહાર થતાં આત્મા કેમ દુઃખ અનુભવે છે ? એ કહેવું ઠીક છે. પણ જેઓને શરીરાદિમાં ભેદબુદ્ધિ તાવિક નથી તેઓને દેહ ઉપર પ્રહાર કરતાં આત્મા દુઃખી થાય છે. પણ જેઓ દેહ, આત્માને ભેદ સારી રીતે સ્વીકારે છે તેઓને દેહ ઉપર પ્રહાર થતાં આત્મા બીલકુલ પીડા નથી, યાદ કરે, ભગવાન મહાવીરદેવના ઉપર સંગમદેવે લોઢાનું ચક ફેક્યું અને ગોવાળીયાઓએ પગ ઉપર ખીર રાંધી છતાં દેહાત્માની ભિન્નતાને અનુભવ કરનાર મહાવીરદેવને દુઃખ થયું છે? દેહાત્માની ભિન્નતા અનુભવનાર નમીરાજાને ઈન્ડે કહ્યું કે આ તારી મિથિલાનગરી બળી જાય છે. નમી રાજાએ એ જ ઉત્તર આપ્યો કે મારું કાંઈ બળતું નથી. ભેદ જ્ઞાનને અનુભવ કરનાર ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી સસરાએ ખેરના અંગારા ભર્યા. પણ દેહથી પિતાને ભિન્ન સમજી આત્મભાવમાં રહેતા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ભેદજ્ઞાન કહેવાય છે. ભેદજ્ઞાન જાણનારને પિતા સંબંધી દુ:ખ આવવા છતાં પણ તે દુઃખી થતું નથી ત્યારે અભેદ બુદ્ધિવાળા જીવને એક ચાકર સંબંધી દુઃખ આવ્યું પણ તે દુઃખી થાય છે, જ્યારે મનુષ્ય મમત્વપણું પિતાપણું મૂકી દે છે, ત્યારે પોતાને પુત્ર હેય તે પણ તે પર છે. અને જ્યાં મમત્વપણું ધરાવે છે તે પર હોય છતાં પુત્રથી પણ અધિક છે. પર વસ્તુને પિતાપણું માનનારા કે શાકારના (રેશમના) કીડાની માફક પોતે પોતાને બાંધે છે અને વિવેકજ્ઞાનથી સ્વપરને નિર્ણય કરનાર પિતાને કમબંધનથી છોડાવે છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy