________________
૨૨૨
ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना ।। स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः ॥ ५३॥
સમભાવરૂપ સૂર્ય વડે રાગાદિ અંધકારને નાશ કરવાં છતાં, યોગીએ પિતાને વિષે પરમાત્માનું સ્વરૂપ જુવે છે. પ૩.
સમભાવને પ્રભાવ स्निह्यन्ति जन्तवो नित्यं, वैरिणोऽपि परस्परं । ..
अपि स्वार्थकृते साम्य-भाजः साधोः प्रभावतः ॥ ५४॥ પિતાના સ્વાર્થને માટે પણ સમભાવનું સેવન કરતાં સાધુઓના પ્રભાવથી નિત્ય વેર ધારણ કરનારા પ્રાણિઓ પણ આપસમાં સ્નેહભાવ ધારણ કરે છે. (આ સર્વ સમભાવનો જ પ્રભાવ છે.) ૫૪
વિવેચન–ઈછાનિષ્ટપણે રહેલા, ચેતવ્યાચેતન્ય પદાર્થોમાં જેઓનું મન મુંઝાતું નથી, તેઓને જ સમપણું હોય છે. કેઈએ ચંદનથી વિલેપન કર્યું, અને કેઈએ હથીયારથી છેદન કર્યું, એ બને પ્રસં. ગમાં ચિત્તવૃત્તિ હર્ષ શેક વિનાની રહે છે તેમાં અનુપમ સામ્યપણું રહેલું સમજે. અભીષ્ટ સ્તુતિ કરનાર અને રેષાંધ થઈ શ્રાપ આપનાર ઉપર જે સમદષ્ટિ હોય તે તે સમભાવનું અવગાહન કરી શકશે. મોટું આશ્ચર્ય છે કે, કાંઈ લેવા દેવા સિવાય સમભાવથી નિવૃત્તિ પણ મેળવી શકાય છે, સ્વર્ગ મેક્ષાદિ પરોક્ષ વસ્તુને અપલાપ કરનાર નાસ્તિકે પણ સમભાવથી ઉત્પન્ન થતા સુખને તે કબુલ જ કરે છે. કવિઓના પ્રલા૫ માત્ર અમૃતના નામ ઉપર તમે શા માટે મુંઝાઓ છો ? પણ સ્વસંવેદ્ય સામામૃતનું જ તમે પાન કરે. અરે ! ખાવા, પીવા, પહેરવા વિગેરે રસેથી વિમુખ થયેલા મુનિઓ પણ આ સામ્યામૃતનું પાન પોતાની ઈચ્છાએ નિરંતર કરે છે પણ તે સામ્યપણું તે જ કે કઃપવૃક્ષની માળા ગળામાં આવી પડે, કે મણિધર સર્પ ગળામાં વિંટાઈ વળી, એ બેઉ સ્થળે સરખી દષ્ટિ હેવી જોઈએ, માટે હે ભવ્ય ! જેના હેવાથી જ્ઞાનાદિ