________________
સમભાવ કેવા નિમિત્તોથી ઉત્પન્ન થાય છે.
૨૨૧ રાગ દ્વેષ જીતવાને ઉપાય अस्तंतन्द्ररतः पुंमिनिर्वाणपदकांक्षिभिः । विधातव्यः समत्वेन, रागद्वेष द्विषजयः ॥ ४९ ॥
માટે નિર્વાણ પદના ઈચ્છુક પુરુષોએ સાવધાન થઈ સમભાવ રૂપ શસ્ત્ર વડે રાગ દ્વેષ રૂપ શત્રુને વિજય કરે-૪૯
अमन्दानन्दजनने, साम्यवारिणि मजताम् । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥५०॥ प्रणिहन्ति क्षणार्धन, साम्यमालम्ब्य कर्म तत् ।
જ મારતીવ્ર-તાસા કર્મોરિમિત છે પણ તીવ્ર યા મહાન આનંદ ઉત્પન્ન કરવા માટે સમભાવરૂપ પાણીમાં સ્નાન કરનાર પુરુષને અકસ્માતું રાગદ્વેષરૂપ મળને ક્ષય થાય છે. સમભાવનું અવલંબન કરીને એક મહૂર્તમાં પ્રાણીઓ જે કર્મને નાશ કરે છે તે કર્મો સમભાવ વિના તીવ્ર તપસ્યાવાળા કરડે વર્ષોવડે કરીને પણ નાશ કરી શક્તા નથી. ૫૦-૫૧.
સમભાવથી કર્મો કેવી રીતે નાશ થાય? कर्म जीवच संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः । . વિમિત્રો સાપુ સામાજિયા | પર છે.
જેમ કલેષ દ્રવ્યથી (ચિકણું વસ્તુથી જોડાયેલું પત્રાદિ વાંસ વગેરેની સળીથી જુદું કરી શકાય છે તેવી રીતે કર્મ અને જીવ આપસમાં જોડાયેલાં છે, તે નિર્ણય કરીને સાધુઓ સમભાવરૂપ શલાકા (સી) વડે કરી કર્મ અને જીવને જુદાં કરે છે. પર.
આત્મનિશ્ચયના બળથી કેવળ કર્મો જ ખપાવે છે ( જુદાં કરે છે) એટલું જ નહિ પણ આત્મામાં
પરમાત્માપણું પણ દેખે છે