________________
૨૨૦
ગશાસ્ત્ર ભાષાંતર-ચતુર્થ પ્રકાશ જ નહિ (અર્થાત્ તે ગુણે ચાલ્યા જવાના અથવા છે તે તે નકામા છે.) માટે વિદ્વાનેએ મનશુદ્ધિ અવશ્ય કરવી. મનશુદ્ધિને ધારણ કર્યા સિવાય જેઓ મેક્ષ મેળવવા માટે તપશ્ચર્યા કરે છે તેઓ પોતાને મળેલી નાવને ત્યાગ કરીને ભુજાઓ વડે મહાન સમુદ્રને તરવાને ઈચછે છે. આંધળા માણસને દર્પણ દેખાડવું જેમ નિરર્થક છે તેમ મનની થેડી પણ શુદ્ધિ થયા સિવાયનું તપસ્વીઓનું ધ્યાન નિરર્થક છે. માટે મોક્ષની ઈચ્છા રાખનારાઓએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. તે શુદ્ધિ સિવાય બીજાં તપ, શ્રુત અને યમાદિ અને (પાંચ મહાવ્રતાદિ) થી કરી કાયાને દડવે કરી (દુખી કરે કરી) શું સાધ્ય થવાનું છે? અર્થાત્ મનશુદ્ધિ સિવાય તે કેવળ સંસાર વધારવાનાં કારણ સરખા છે, મન શુદ્ધિ માટે રાગ દ્વેષને વિજય કરવો, કે જેથી આત્મા મલિનતાને ત્યાગ કરી સ્વરૂપમાં (સ્વાભાવિક સ્થિતિમાં) રહી શકે. ”
રાગ-દ્વેષાદિનું દુર્ભયપણું आत्मायत्तमपि स्वान्तं, कुर्वतामपि योगिनाम् । रागादिभिः समाक्रम्य, पसयत्तं विधीयते ॥ ४६ ॥ रक्ष्यमाणमपि स्वान्तं, समादाय मनाग मिषम् । पिशाचा इव रागाद्याश्छलयन्ति मुहुर्मुहुः ॥ ४७ ॥ रागादितिमिरध्वस्त-ज्ञानेन मनसा जनः । अन्धेनाऽन्ध इवाकृष्टः, पात्यते नरकावटे ॥ ४८ ॥
આત્માને આધીન કરતાં પણ વેગીઓના મનને રાગ દ્વેષ મહાદિ (રક્ત, દ્વિષ્ટ અને મૂઢતા વડે) દબાવી દઈ તેને પરાધીન કરી દે છે. યમ નિયમાદિક વડે તેનું (મનનું) રક્ષણ કરવા છતાં પણ કાંઈક બાનું કાઢીને પિચાશની માફક રાગ-દ્વેષાદિ તેને વારંવાર છેતરી લે છે. રાગ-દ્વેષાદિ અંધકાર વડે જ્ઞાન આલોકનો (જ્ઞાનપ્રકાશનો નાશ કરનાર મન જેમ આંધળો આંધળાને ખેંચીને ખાડામાં નાખે છે તેમ મનુષ્યોને નરકરૂપ ખાડામાં પાડે છે. ૪૬ થી ૪૮.