SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ आगतो हेमगोपालो दण्डकम्बलमुद्वहन् । અર્થ–હાથમાં દંડ અને કામળી લઈને પ્રેમ નામને ગોપાલ આવ્યું. શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યું કે મારી મશ્કરીમાં ગેપાળની ઉપમા મને આપી, પણ પિતે અવસરસ લેવાથી તરત જ તેને પ્રતિકાર કરવા કલેકમાં જવાબ આપ્યો કે षड्दर्शनपशुपायांश्चारयन् जैनवाटके ॥ . અથ–જેને ધર્મ રૂપી વાડામાં છ દર્શન રૂપી પશુઓને ચરાવનાર હું ગેપાલ છું. આ સાંભળી બ્રાહ્મણે આશ્ચર્યચકિત બની નિરૂત્તર થયા. એક સિદ્ધરાજ જયસિંહને આચાર્યશ્રીએ કહ્યું કે “તારી જગમાં ખ્યાતિ છે તે વિસ્તારવા માટે હું પંચાંગી વ્યાકરણ કરૂં.” રાજાએ હા પાડી. ત્યારે હેમચંદ્રસૂરિએ કહ્યું કે “કાશ્મીરમાં શારદા ભંડાર છે ત્યાં આદિ વ્યાકરણની ગંભીર પ્રતિ છે કે જે બીજે કંઈ પણ સ્થલે નથી, તે તે તુરત મંગાવો તે વ્યાકરણની રચના કરૂં.' રાજાએ પ્રધાનને તે લેવા મેલ્યા. પ્રધાનેએ ત્યાં જઈને અગરધૂપ આદિથી શારદા માતાને તુષ્ટ કરી. માતાએ આઠ પુસ્તક આપ્યાં, તે લાવીને પ્રધાનેએ રાજાને આપ્યાં, રાજાએ સરિને આપ્યાં. પછી તેમણે પંચાંગી વ્યાકરણ બનાવ્યું અને રાજાએ પંડિતેને તેડાવ્યા. બ્રાહ્મણ પંડિતેએ રાજાને કહ્યું કે કાશ્મીરમાંથી શારદા ભંડારમાંથી લાવેલા તે પુસ્તકોની તે નકલ છે ! ખરું તે તે ત્યારે કહેવાય કે જે પાણીમાં નાખવાથી તે વ્યાકરણ ભીનું ન થાય તે, રાજાએ જાણ્યું કે આ ઠેષ છે, છતાં આચાર્યશ્રીએ કહ્યું “ખુશીની સાથે, ભલે પ્રમાણુતાની તે કસોટી થાઓ.” પછી પ્રધાન આદિ નગરજનેને લઈ તે વ્યાકરણ કુંડમાં નંખાવ્યું, પણ લેશમાત્ર ભીનું થયું નહિ. આથી રાજા ઘણે આનંદિત થયો અને તેણે ત્રણ વર્ષ લગી ત્રણસેં દામ હમેશ આપી સેનાના અક્ષરથી તે વ્યાકરણ લખાવ્યું.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy