________________
સુતારને રાજાએ બોલાવ્યો. તેણે કહ્યું કે “અમારા શાસ્ત્રમાં એવું છે કે સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઈશ્વરભુવનમાં નવ અને જિનગૃહમાં એકવીશ હોય છે. શિવમંદિરમાં એક મંડપ હોય છે, જ્યારે જિનગૃહમાં એકસે આઠ હોય છે. જિનને ત્રણ છત્રશિર ઉપર હોય છે, અને સિંહાસન બેસવા માટે હોય છે. જિન મુદ્રા પદ્માસનમાં સ્થિત હોય છે અને નવગ્રહ તેમના ચરણને સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. જ્યારે બીજા દેના હાથમાં હથિયાર, પાસે નારી વિગેરે હોય છે.”
એક વખત તેઓશ્રી ચતુર્મુખ મંદિરમાં શ્રી નેમિચરિત્ર વાંચતા હતા તેમાં તેમણે એમ કહ્યું કે પાંડવ શત્રુંજય ચડી સિદ્ધ થયા. આ બ્રાહ્મણે ખમી ન શક્યા, અને તેમણે કહ્યું કે તેઓ હિમાલયમાં ગળી મુક્તિ પહોંચ્યા છે. ત્યારે સિદ્ધરાજે પૂછયું કે “ગુરુરાય ! આમાં શું સત્ય છે ત્યારે આચાર્ય મહારાજ મહાભારતને શ્લેક બેલ્યા. . अत्र भीमशतं दग्धं । पाण्डवानां शतत्रयम् । 1. ઢોળાવાસ તુ I wથા ન વિદ્યતે
અર્થ—અહિંયા જ સો ભીમ, ત્રણસે પાંડવે, હજાર દ્રોણાચાર્ય મરી ગયા અને કહ્યું કેટલા મરી ગયા તેની તે સંખ્યા નથી.
. આ ઉપરથી એમ સૂચન કીધું કે આમાંથી કેટલાક પાંડ જૈન હોય અને તે શત્રુંજયે ચઢી મુક્તિમાં જાય એ અસંભવિત નથી. આથી રાજા હર્ષિત થયો.
એક દિવસ બ્રાહ્મણે સિદ્ધરાજને એમ કહેવા લાગ્યા કે “જૈનધર્મ એ આદિ ધર્મ નથી, તેનું નામ વેદબાહ્ય છે, ત્યારે રાજાએ મા ‘એમ શા માટે બોલે છે? વાસ્તુ શાસ્ત્ર તપાસે, તેમાં જિનમંદિરના ભેદ જણાવેલ છે.”
વળી એક વખત સર્વે બ્રાહ્મણે પોતપોતાના સ્થાને રાજસભામાં બેઠા હતા તેવામાં શ્રી હેમચંદ્રને આવતાં જોઈ તેમને એક ઈર્ષાથી કહેવા લાગે કે