SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખણાને વિશેષ વિધિ બતાવે છે ૨૦૩ અહે! હું આ સર્વ સંગોને ત્યાગ કરી, જીણપ્રાયઃ વાવાળો થઈ, મળથી કિલન્ન (ભિજાએલા ) શરીરવાળે (અર્થાત્ શરીર ઉપરથી નિરપેક્ષ બની) માધુકરી વૃત્તિવાળી મુનિચર્યાને જ્યારે આશ્રય કરીશ? દુશીલની સબતને ત્યાગ કરી ગુરુ મહારાજની ચરણરજને સ્પર્શ કરતા, યેગને અભ્યાસ કરી આ ભવેને નાશ કરવાને હું ક્યારે સમર્થ થઈશ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા મને સ્તંભની માફક સ્થિર રહેલાને સ્તંભ જાણી બળદો પિતાના સ્કંધનું કયારે કર્ષણ (ઘર્ષણ) કરશે? વનની અંદર પાસનમાં બેઠેલા અને ખેાળામાં મૃગનાં બચ્ચાઓ રહેલા મને મોઢા ઉપર વૃદ્ધ મૃગયૂથપતિઓ (અચેતન વસ્તુ જાણી) ક્યારે આઘણ કરશે (સુઘશે.)? શત્રુના ઉપર અને મિત્ર ઉપર, તૃણ ઉપર અને રીના સમુદાય ઉપર, સોના અને પથ્થર ઉપર, મણિ અને માટી ઉપર, મોક્ષ અને ભવ ઉપર, એક સરખી બુદ્ધિવાળે (રાગદ્વેષ વિનાને), હું ક્યારે થઈશ? આ પ્રમાણે મેક્ષ મહેલ ઉપર ચડવાને ગુણઠાણાની શ્રેણિરૂપ નિસરણ સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મનેર શ્રાવએ કરવા. રૂલ્યોત્રિી મમત્તા સમાન છે यथावंदुक्तवृत्तस्थो, गृहस्थोऽपि विशुध्यति ॥ १४७ ।। આ પ્રમાણે અહોરાત્રી સંબંધી ચર્યાને અપ્રમાદીપણે આચરતે અને પૂર્વે જેવી રીતે કહ્યું છે તેવી રીતે વ્રતમાં રહેલો ગૃહસ્થ પણ વિશુદ્ધ થાય છે. ૧૪૭. " વિશેષ વિધિ બતાવે છે सोऽथावश्यकयोगानां, भङ्गे मृत्योरथागमे । कृत्वा संलेखनामादौ, प्रतिपद्य च संयमम् ॥ १४८ ॥ जन्मदीक्षाज्ञानमोक्ष-स्थानेषु श्रीमदहताम् । तदभावे गृहेऽरण्ये, स्थण्डिले जन्तुवर्जिते ॥ १४९ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy