SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ કામદેવ શ્રાવકનું દષ્ટાંત હતા. તેમના ઉપદેશથી કામદેવ બારવ્રતધારી દઢ શ્રાવક થયો હતો અને ભદ્રા પણ વ્રતધારી શ્રાવિકા થઈ હતી. કેટલીક વખત ગયા પછી પિતાના જયેષ્ઠ પુત્રને ઘરને કારોબાર સોંપી નિશ્ચિત થઈ કામદેવ શ્રાવક પિતાની પૈષધશાળામાં ધર્મધ્યાન કરતે હતે. એક વખત તેણે પૈષધનું વ્રત લીધું હતું. મધ્યરાત્રીએ એક મિથ્યાદષ્ટિદેવ ભયંકર પિશાચનું રૂપ લઈ તેની પાસે આવ્યો. હાથમાં ખુલી તલવાર લઈ તે પિશાચે કામદેવને કહ્યું કે “તું આ ધર્મ મુકી દે, શું તારા જેવા રાંક છે પણ સ્વર્ગ અને મેક્ષની ઈચ્છા કરે છે ખરા? જે ધર્મને ત્યાગ નહિ કરે તે આ તલવારથી તારું મસ્તક ઉડાવી દઈશ.” દેવે બે ચાર વાર કહ્યું અને ઘણી ગર્જના કરી પણ કામદેવ ધર્મધ્યાનથી ચલાયમાન ન થયો, ત્યારે તેણે પિશાચનું રૂપ મૂકી ભયપ્રદ હાથીનું રૂપ કર્યું અને પૂર્વની જેમ જ ધર્મ મૂકવા સૂચવ્યું. જ્યારે તે દઢ જ રહ્યો ત્યારે સુંઢાદંડથી પકડી કામદેવને આકાશમાં ઉછાળ્યા અને પગ હેઠે કચડી નાખે. કામદેવે દુઃખ સહન કર્યું; દેવપ્રભાવથી મરણ ન પામ્ય અને ધર્મમાં દઢ જ રહ્યો. ત્યારે તેણે સપનું રૂપ કરી ઘણું સે દીધા અને ગળે વીંટાઈ વળે. આમ અનેક દુઃખ દેવા છતાં તે તે વૈર્યપણે જ રહ્યો. દેવ થાક, અને સાથે સાહસ જોઈ ખુશી થયો. દિવ્યરૂપ પ્રકટ કરી કામદેવ પાસે પોતાના કરેલા અપરાધની માફી માગી અને ઇકે દેવસભામાં તમારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થઈ માટે મેં તમારી પરીક્ષા કરી છે, આ પ્રમાણે કહીને દેવ ચાલે ગયે. કામદેવ પ્રભાતે પિષધ પૂર્ણ કરી ત્યાં પધારેલા મહાવીરદેવને નમન કરવા ગયો. મહાવીરદેવે જ્ઞાનથી રાત્રિની સર્વ હકીક્ત કામદેવને કહી કેઃ “કામદેવ ! રાત્રે એક દેવ આવ્યો હતે ?” કામદેવે હા, કહી. મહાવીરદેવે ગૌતમાદિ મુનિઓને ઉદ્દેશીને કહ્યું, “ગૌતમ યાદ રાખે, આવા ગૃહસ્થાવસ્થામાં રહેલા શ્રાવકે પણ દેવોથી ચલાયમાન થતા નથી, માટે તમારે ત્યાગીઓને તે ધર્મમાં વિશેષ પ્રકારે દઢ રહેવું. ગૌતમસ્વામીએ હાથ જોડી તહત્તિ કહી તે વાત સ્વીકારી.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy