________________
૧૯૯
ગુરૂભક્તિ કેવી રીતે કરવી.
તેજ બતાવે છે. “ય છ –મજ્ઞાસ્થિવરિપૂરિતા: . स्नायुस्यूता बही रम्याः, स्त्रियश्चर्मप्रसेविकाः ॥ १३२ ॥ बहिरन्तविपर्यासः, स्त्रीशरीरस्य चेद् भवेत् । तस्यैव कामुकः कुर्याद्, गृध्रगोमायुगोपनम् ॥ १३३ ॥ स्त्रीशस्त्रेणापि चेत् कामो, जगदेतज्जिगीषति ।। तुच्छपिच्छमयं शस्त्रं, किं नादत्ते स मूढधीः १ ॥ १३४ ॥
સ્ત્રીઓનાં શરીર નિરંતર વિષ્ટા, મળ, કલેમ્બ, મજજા અને હાડકાઓથી ભરપુર છે. આ જ કારણથી બહારથી રમણિય અને સ્નાયુથી સીવેલી ભસક (ધમણ) સરખી સ્ત્રીઓ છે. સ્ત્રીને શરીરને જે વિપર્યાસ કરવામાં આવે, અર્થાત્ જે બહાર રમણિક્તા દેખાય છે તે અંદર કરવામાં આવે અને અંદરની સ્થિતિ બહાર લાવવામાં આવે તે તે જ રીના શરીરનું કામી પુરુષને ગીધ અને શિયાળીયાં તરફથી રાત્રિ દિવસ રક્ષણું કરવાની જરૂર પડે. સ્ત્રીરૂપ શત્રુ વડે કરીને પણ જે કામ આ જગતને જીતવાને ઈચ્છે છે તે તે મૂઢબુદ્ધિ વાળો કામ સુખે મળી શકે તેવું પિંછારૂપ શા શા માટે નથી લેતે ? ભાવ એ છે કે અસાર રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્યથી ભરપુર તથાં ઘણું પ્રયાસથી મળી શકે તેવા સ્ત્રીરૂપ શસ્ત્ર વડે કરીને કામ જગતને જીતવાને ઈરછે છે તે સુલભ અને પવિત્ર પિંછાને જગત જીતવા સારૂ શા માટે તે લેતે નથી? અર્થાત્ પિંછાં વિગેરે સામાન્ય વસ્તુમાં જેટલું સાર છે તેટલો પણ સ્ત્રીના શરીરમાં સાર નથી. ૧૩ર-૧૩૩-૧૩૪.
संकल्पयोनिनानेन, हहा ! विश्वं विडम्बितम् । तदुत्खनामि संकल्पं, मूलमस्येति चिन्तयेत् ॥ १३५ ॥
હા ! હા! સંકલ્પથી ઉત્પન્ન થતાં આ કામે વિશ્વને વિડંબિત કર્યું છે. માટે આ કામના સંકલ્પરૂપ ભૂલને હું ઉખેડી નાખું, આ પ્રમાણે વિચાર કરે. ૧૩૫.