SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ યોગશાસ્ત્ર ભાષાંતર-તતીય પ્રકાશ ગુરુ પાસેથી પાછા ફર્યા બાદ વ્યાપાર કરવાના ઉચિત સ્થાને જઈ ધર્મને બાધા ન પહોંચે તેવી રીતે બુદ્ધિમાન શ્રાવકે ધન કમાવાને (વિચાર) પ્રયત્ન કરે. ૧૨૭. ततो माध्याह्निकी पूजां कुर्यात्कृत्वाऽथ भोजनम् । તદિfમ સદ શાસ્ત્રાર્થ સ્થાનિ વિવાર . રર૮ | પછી મધ્યાહ્ન વખતની પૂજા કરે, ત્યારબાદ ભોજન કરી શાસ્ત્રના જાણકારોની સાથે શાસ્ત્રના અર્થો અને રહસ્યને વિચાર કરે. તત કથા, છત્વા હેવાનં પુનઃ . कृतावश्यककर्मा च, कुर्यात्स्वाध्यायमुत्तमम् ।। १२९ ॥ પછી સંધ્યા વેળાએ ફરી દેવાર્ચન (ધૂપદિપાદિથી દેવપૂજા કરી) તથા પ્રતિક્રમણ (દિવસે શ્રાવક વ્રત સંબંધી કાંઈ પણ દૂષણ લાગ્યું હોય તેની શુદ્ધિ) કરી, પછી ઉત્તમ પ્રકારનું સ્વાધ્યાય (મહાન પુરુષોનાં જીવન સંભારવા, સારા વિચારો કરવા, ભણેલું યાદ કરવું) વિગેરે ધ્યાન કરવું. ૧૨૯. न्याय्ये काले ततो देव-गुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासीत, प्रायेणाब्रह्मवर्जकः ॥ १३० ॥ સ્વાધ્યાયાદિ ધર્મધ્યાન કરવામાં કેટલીક વખત વ્યતીત કર્યા બાદ પોતાના ઈષ્ટદેવ ગુરુને યાદ કરવા પૂર્વક પવિત્ર થઈ પ્રાય અબ્રહ્મચર્યને (મિથુનને) ત્યાગ કરી અ૫ (ડી) નિદ્રા કરે. (ગૃહસ્થ હોવાથી મૈથુન ત્યાગ કરવા માટે પ્રાયઃ શબ્દ મૂક્યો છે. ૧૩૦ निद्राच्छेदे योषिदङ्ग-सतत्त्वं परिचिन्तयेत् ।। स्थूलभद्रादिसाधूनां तन्निवृत्तिं परामृशन् ॥ १३१ ॥ નિદ્રા ત્યાગ કર્યા પછી સ્થૂલભદ્રાદિ સાધુઓએ કરેલી સ્ત્રીને શરીરની નિવૃત્તિનું સ્મરણ કરતે તત્વપૂર્વક સ્ત્રીના શરીરની અસારતાનું ચિતવન કરે. ૧૩૧.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy