SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ વિષ વાણિજ્ય “ - દાંતને વ્યાપાર दन्तकेशनखास्थित्वग-रोम्णो ग्रहणमाकरे । त्रसाङ्गम्य वणिज्याथै, दन्तवाणिज्यमुच्यते ॥ १०६ ॥ હાથીદાંત, ચમરી ગાય વગેરેના વાળ, નખ, હાડકાં, ચામડાં તથા રોમ (રૂવાડા) વગેરે ત્રસ જીના અંગોને વ્યાપારને માટે ઉત્પત્તિને ઠેકાણે જઈ ગ્રહણ કરવા તેને દંત વાણિજ્ય કહે છે. ૧૦૬. - લાખનો વ્યાપાર लाक्षामनः शिलानीली-धातकीटकणादिनः । विक्रयः पापसदनं लाक्षावाणिज्यमुच्यते ॥ १०७ ॥ લાખ, મનશીલ, ગળી, ધાવડી, ટંકણખારાદિ એ સર્વ વિશેષ પાપનાં સ્થાનરૂપ છે. તેને વ્યાપાર કરે તેને લાખ વાણિજ્ય કહે છે. ૧૦૭. રસ તથા કેશને વ્યાપાર नवनीतवसाक्षौद्रमद्यप्रभृतिविक्रयः । द्विपाचतुष्पाद्विक्रयो, वाणिज्यं रसकेशयोः ॥ १०८ ॥ માખણ, ચરબી, મધ અને મદિરાદિ વેચવું તે રસ વાણિજ્ય અને મનુષ્ય તથા જાનવરોના વ્યાપાર કરવા તે કેશ વાણિજય કહેવાય વિષ વાણિજ્ય विषास्त्रहलयन्त्रायोहरितालादिवस्तुनः । विक्रयो जीवितघ्नस्य, विषवाणिज्यमुच्यते ॥ १०९ ॥ ઝેર, હથિયાર, હળ, અરહટ્ટાદિ યંત્ર, લેપ્યું અને હરતાલ આદિ જેને નાશ કરનારી વસ્તુઓને વેપાર કરે તેને વિષ વાણિજ્ય કહે છે. ૧૦૯.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy