________________
૧૮૪
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ કર્મો ખપાવી નાખ્યાં. શુભ ધ્યાનમાં મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. એક ભવ માનવને કરી તે મેસે જશે. એવી રીતે દાનના પ્રભાવમાં ઉત્તરોત્તર પરંપરાએ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તે આ ચરિત્રથી સમજી શકાય છે. આ ચરિત્ર ઉપરથી સમજવાનું એ છે કે પોતાની દુખી. અવસ્થામાં પણ દાનને ઉત્સાહ, પરિણામની વિશુદ્ધતા, દૈવિક વૈભવ છતાં પણ આત્મિક
સ્વતંત્રતાની ઈચ્છા, સુકેમળ દેહ છતાં કઠેર તપસ્યા અને ધ્યાનની નિર્મળતા એ સર્વ મનન કરવા જેવું છે, અતિથિ વિભાગ ઉપર શાલિભદ્રની કથા સમાપ્ત થઈ. આ કહેવાથી બારમું વ્રત સમાપ્ત થયું. અને કમે કહેવાયેલાં બાર વતે પણ સમાપ્ત થયાં. '
બાર વ્રતમાં લાગતા અતિચાર દૂર કરવા વિષે व्रतानि सातिचाराणि, सुकृताय भवन्ति न । अतिचारास्ततो हेयाः, पंच पंच व्रते व्रते ॥ ८९ ॥
અતિચારવાળાં વ્રત કલ્યાણ માટે થતાં નથી. માટે દરેક વ્રતમાં લાગતા પાંચ પાંચ અતિચારો (દોષ) ત્યાગ કરવા. ૮૯
પ્રથમ રાતના અતિચાર क्रोधाद् बंधच्छविच्छेदोऽधिकभाराधिरोपणम् । प्रहारोऽन्नादिरोधश्चाहिंसायां परिकीर्तिताः ॥ ९० ॥
૧. તીવ્ર ક્રોધથી, મરણથી નિરપેક્ષપણે-મરી જશે તેની દરકાર રાખ્યા સિવાય મનુષ્ય તથા જનાવરણદિને બાંધવાં. ૨. તેમની ચામડી છેદવી. ૩. શક્તિ કરતાં વિશેષ ભાર ભરે. ૪. મર્મ સ્થાનાદિમાં પ્રહાર કરવો. અને ૫. અનાજ આદિ તેમને ખોરાક આપ બંધ કરે. આ અતિચારો અહિંસા વ્રતમાં કહેલા છે. ૯૦.
વિવેચન–જીવને ન મારવાનાં પચ્ચક્ખાણ કર્યા છે પણ તેને તીવ્ર બાંધવાને કે દુઃખ આપવાનાં કર્યા નથી. આવા આશયની