________________
મુર્તિદાનનું ફળ
૧૮૧
પ્રશ'સા કરતા તે મરણ પામ્યા અને રાજગૃહીનગરીમાં ધનાઢ્ય ગાભદ્રે શેઠની ભદ્રા નામની સ્ત્રીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. યુવાન વયમાં પિતાએ ખત્રીશ કન્યાએ પરણાવી. સાતમાળના મહેલમાં દોશુંદક દેવાની જેમ સુખ વૈભવ ભાગવે છે. તેના પિતા ગાભદ્ર શેઠે વીર પ્રભુની પાસે ચારિત્ર લીધુ અને પય તે સુસમાધિમાં મરણ પામી તે દેવલાકમાં ગયા. પુત્રસ્નેહથી તે પેાતાના પુત્રના સર્વ મનારથા પૂર્ણ કરતા હતા. એક દિવસે એક પરદેશી મુસાફર સાળ રત્નકાંબળા લઈ રાજગૃહીમાં વેચવા આભ્યા. શ્રેણિક રાજાએ તેનું મૂલ્ય પૂછ્યુ, તેણે એક એકનુ` મૂલ્ય સવા લાખ સેાનામહેાર જણાવી ભારે મૂલ્યની આવી રત્નકાંબળે લેવી તે રાજાને ઉચિત ન જણાયું, મુસાફર ઉદાસ થા, કે જ્યારે રાજા જેવા મારી રત્નકળા નથી લેતા તેા બીજા કાણ લેશે ? તે ફરતા ફરતા શાલિભદ્રને ઘેર આવ્યા અને ભદ્રા શેઠાણીને મળ્યા અને ભદ્રાએ રત્નકાંબળા કેટલી છે અને મૂલ્ય શું છે તે પૂછ્યુ. મુસાફરે ગૃહ્યું: મારી પાસે સેાળ રત્નકાંબળા છે અને તેની વીશલાખ સેનામહાર કીંમત થશે’ભદ્રાએ જણાવ્યુ કે મૂલ્યની કાંઈ હરકત નથી, પણ મારા' પુત્રને ખત્રીશ સ્ત્રીએ હાવાથી મને બત્રીશની જરૂર હતી. પણ મુસાફર પાસે તેટલી ન હાવાથી વીશલાખ સાંનામહારા આપી તે રત્નકાંબળ લીધી અને અરધી અરધી રત્નકાંખળ ખત્રીશે સ્ત્રીને વહેંચી આપી. મુસાફર ખુશી થઈ ચાલતા થયા.
શ્રેણિક રાજાની હઠીલી રાણીએ હઠ લીધી કે હું રાજાની રાણી થઈ છતાં શું મને એક રત્નકાંબળ ભારે મૂલ્યની ન મળે ? રાજાએ ફરી મુસાફરને ખેલાવ્યા. તેણે શાલિભદ્રને ઘેર રત્નકાંબળ વેચ્યાના સમાચાર આપ્યા અને કહ્યુ કે તમે એક પણ લઈ ન શકયા પણ તેણે તેા ખત્રીશની માંગણી કરી છે, આ સાંભળી રાજા આશ્ચર્યમાં ગરકાવ થયા. અહા ! મારા રાજ્યમાં આવા ધનાઢયા રહે છે. રાજાએ એક રત્નકાંબળ આપવા માટે શાલિભદ્રને ત્યાં કહેવરાવ્યું. ભદ્રાએ