SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ હતું અને માતા અન્યને ઘેર કાર્ય કરતી હતી, એમ બનેનું ગુજરાન ચાલતું હતું. એક વખત પર્વના દિવસેમાં ઘેર ઘેર સારૂં સારૂ ખાવાનું થતું જોઈ સંગમકે પિતાની મા પાસે ક્ષીરનું ભેજન માગ્યું. ગરીબ સ્થિતિવાળી માતા બેલી: “બેટા! મારી પાસે તેવી કાંઈ સામગ્રી નથી કે જેની હું તને ખીર કરી આપું.” આટલું કહેતાં જ પિતાની પૂર્વની સારી સ્થિતિ તેને સાંભરી આવી અને ઉચ્ચ સ્વરે માતા રડવા લાગી. માતાને રડતી જોઈ છોકરે પણ રડવા લાગ્યા. આ શબ્દો સાંભળી કેટલીક પાડે શણે ત્યાં દોડી આવી, અને રુદન કરવાનું કારણ પૂછ્યું. પિતાનું દુખે તેને કહેવાથી તેઓને દયા આવી, તેથી ખીરની સર્વ સામગ્રી તેઓએ તેને આપી. તેની ખીર બનાવી એક થાળમાં પુત્રને આપી, માતા નજીકમાં કાર્ય પ્રસંગે ગઈ. તેવામાં માસ ઉપવાસી એક તપસ્વી મુનિ પારણુ માટે ફરતા ફરતા તેને જ ઘેર આવી ચડ્યા. પિતાને ઘેર મુનિને આવેલા જોઈ છેક ઘણે ખુશી થયે. તે બોલી ઊઠયોઃ “અહે! હું ધન્યભાગ્ય છું. આવાં ધનાઢયોનાં ઘરો મૂકી આવા તપસ્વી મુનિ મારે ઘેર આવી ચડ્યા. મહારાજ તપસ્વીજી ! આજ તે મારૂં અન્ન ગ્રહણ કરો ! અને મને નિસ્તારો.” એuસંજ્ઞાએ પણ તપસ્વીએને આપવાથી લાભ થાય છે, તેમ જાણનાર આ બાળકને જોઈ મુનિ આશ્ચર્ય પામ્યા. દ્રવ્યભાવથી શુદ્ધતા જાણ મુનિએ પાત્ર ધર્યું અને સંગમકે પિતાના વાસણમાં લીધેલી બધી ખીર આપી દીધી. એક તે આવી દુઃખી અવસ્થા, કેઈ પણ વખત તેવું સ્વાદિષ્ટ ભેજન ખાવા નહિ મળેલ, ભૂખ લાગેલી. માગીને મેળવેલી, બાળક અવસ્થા અને પરિણામની વિશુદ્ધતા, તે એક એકથી ચડીયાતું હતું આ વિશુદ્ધતામાં કર્મ નિર્જરા અને પુણ્યબંધ થવાથી તેણે ઉત્તમ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધ્યું. મુનિ ગયા પછી પાછળ રહેલી ખીર ચાટતે હતું, ત્યાં તેની મા આવી. છોકરાને હજી ભૂખ્યો જાણી બીજી ખીર તેને આપી, રાત્રિના વખતમાં અજીર્ણ થવાથી મુનિદાનની
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy