SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ કેલસાને ઢગલે સેના મહોરેને થશે એમ વિચારી તેમણે તે ઢગલા ઉપર સોમદેવ મુનિને બેસવાનું કહ્યું અને તેમ કર્યાથી તુરત તે કેલસાને ઢગલો હેમને થઈ ગયો. ધનદે આમ થયે તુરત ગુરુશ્રીને કહ્યું કે “શ્રી સોમદેવમુનિને સૂરિપદ આપ, હું તે મહોત્સવ કરીશ.” એટલે ગુરુમહારાજે શિષ્યને યોગ્ય જાણું આચાર્ય પદવી આપી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખ્યું. સંવત્ ૧૧૬૨ ૫. મંત્રસાધના-પ્રચંડ બ્રહ્મચર્ય. શ્રી હેમાચાર્ય કાશ્મીર તરફ ચાલ્યા અને ત્યાં પોતાના બળથી સરસ્વતી દેવીને પ્રત્યક્ષ બેલાવી તેની પાસે વર લીધે. પછી પિતાના ગુરુએ આપેલ સિદ્ધચક્રનો મંત્ર સાધતા હતા. આ સાધવામાં શ્રી દેવેન્દ્રસૂરિએ તથા મલયગિરિરિ નામના બે આચાર્યોને માર્ગમાં સમાગમ થયો. ત્રણે કુમાર નામના સંગ્રામમાં આવ્યા, ત્યાં એક બેબી પાણીને આરે લુગડાં તે હતે; ને લુગડાં ઉપર અનેક ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. શ્રી હેમસૂરિએ એક સાડીમાં ભમરા જોઈને તે પવિની નારીનાં ચીર હોવા જોઈએ, તેથી બીને તે કેનાં લુગડાં છે એમ પૂછતાં તેણે કહ્યું કે “આ ગામના રાજાની રનવતી નામની પદ્મિની સ્ત્રી છે, તેના છે. ત્રણે આચાર્યોએ રાજાને ત્યાં જઈ ધર્મલાભ આપ્યો. રાજાએ નિરવદ્ય સ્થાનકે ઉતાર્યા. હમેશાં દેશના સમતાષિક દેવાવા લાગી. આમ થતાં મારું પુરૂં કરી પછી વિહાર કરવાનું જણાવ્યું. તે ગામના રાજાએ ઘણું રહેવાનું કહ્યું, ત્યારે તેઓ તે વિનતી સ્વીકારી ન શક્યા કારણ કે એક સ્થલે સુવિહિત મુનિ ન રહે અને રહેવાથી સંયમ ન સચવાય એમ શાસ્ત્રની આજ્ઞા છે. પછી “કઈ કામ હોય તે કહે” એમ રાજાએ કહેતાં શ્રી દેવેંદ્રસૂરિ બોલ્યા કે “એક છે તે ખરૂં, પણ કહેતાં જીભ ઉપડતી નથી, પણ તેથી વિદ્યા સિદ્ધ થાય તેમ છે. પછી આગ્રહ થતાં કહ્યું કે “તારી સ્ત્રી પશ્વિનિ છે, તે જે નગ્નપણે અમારી સન્મુખ ઉભી રહે, તે અમે વિદ્યા સાધી શકીએ. તે વખતે તે પણ તરવાર લઈને ઉભું રહે અને જે અમે તન, મન, વચનથી કંઈ પણ ચૂકીએ, એક રેમમાં પણ તે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy