SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંબધી કામ થાય તે અમને હણી નાંખજે.” ગુણથી રાજી થયેલ રાજાએ હા કહી. પછી આચાર્યો ગિરનાર આવ્યા અને ત્યાં જિનપ્રતિમા આગળ રહી નગ્ન પવિનિ પાસે આચાર્યો મંત્ર સાધવા લાગ્યા અને નૃપ તરવાર લઈ ઉભો રહ્યો. મેરૂ ચૂલિકા નવિ ચળે, ન ચળે શેષ ફણ વિધિ લિખત જિમ નવ ચળે, ન ચળે ચિત્ત મુની. મુનિઓનું ચિત્ત ચળ્યું નહિ, મંત્ર સાથે અને વિમળેશ્વર યક્ષ આવી ઉભો રહ્યો અને વર માંગવા કહ્યું. શ્રી દેવેંદ્રસૂરિએ કાંતિથી જિન પ્રસાદ શ્રીસેરીસમાં લાવે અને વિદ્યાવાદ પિતાને આપ એ વર માગે. શ્રી મલયગિરિસૂરિએ સિદ્ધાંતની વૃત્તિ કરૂં એવી શક્તિ માગી, જ્યારે શ્રી હેમાચાર્યે હું વચનબળથી રાજાને બૂઝવું અને તેથી શાસનને દીપાવું એવી વિદ્યા આપવા કહ્યું. તે વિમળશ યક્ષે માંગેલી વિદ્યા ત્રણેને દીધી. પછી શ્રી હેમમુનિ વિદ્યા ગ્રહીને ગુરુ પાસે આવ્યા અને વંદન કર્યું. ગુરુ હર્ષ પામી ધ્યાનમાં બેસી આંબીલથી છ માસ સુધી દેવતાનું આરાધન કર્યું, એટલે શાસનદેવી પ્રગટ થઈ કહ્યું કે “આપના શિષ્ય હેમાચાર્ય તે પદવીને લાયક છે. આથી મનમાં જે હતું તે દેવીએ કહેલ છે એ જાણ ગુરુ હર્ષિત થયા. ત્યાર પછી પિતે નાગપુરિ જ્યાં ઘનદ નામને વણિક વસતે હતે ત્યાં આવ્યાં ત્યાં શ્રી હેમાચાર્યને પાટ પર બેસાડી ગુરુ શિષ્ય સાથે પાટણમાં આવ્યા. | દર શ્રી હેમચંદ્રજી અને મહારાજા સિદ્ધરાજ. આ વખતે મહારાજા સિદ્ધરાજ જયસિંહ પાટણમાં રાજ્ય કરતું હતું, તેને અને શ્રી હેમાચાર્યને મેળાપ થશે. વાતચિત પથી આચાર્ય પર રાજાને બહુ પ્રીતિ થઈ તેથી પિતાને ત્યાં આવી પદેશ કરવા રાજાએ વિનંતિ કરી. એક વખત રાજસભામાં શ્રી હેમસુરિ બેઠા હતા, ત્યાં રાજાએ પ્રશ્ન કર્યો કે “ખરે ઘમ કરે ?” સૂરિએ કહ્યું કે “ધર્મની પરીક્ષા કરવી જોઈએ, અને તેમાં જે કટી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy