SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થનું અગીયારમું પૈધવ્રત ૧૭૫ જરૂર જણાય તે તેટલું જવું, પણ વધારે ન જવું, અથવા તેટલી પણ જરૂર ન જણાય અને વધારે સંક્ષેપ કર હોય તે આ મારા ઘરની બહાર આજે દિવસે કે રાત્રે નહિ જાઉં, પણ આ દરવાજાની અંદર જ રહીશ. આ વિગેરે નિયમ રાખવો, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. આ નિયમ રાખવાથી બહાર ફરતાં આપણાથી જે અકાર્ય, અધર્મ કે આરંભ થવાને હેય તે અટકી જાય છે. ઉપલક્ષથી બીજા ભેગોપભોગ વતના પણ સંક્ષેપે આ વ્રતમાં કરવામાં આવે છે. તે સર્વને દેશાવકાશિક કહે છે. એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કહેવાયું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહે છે. * - ક ગૃહસ્થનું અગીયારમું પૈષધવત चतुष्पव्यों चतुर्थादि, कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्य क्रिया स्नानादित्यागः पौषधव्रतम् ॥ ८५ ॥ ચાર પર્વમાં ઉપવાસાદિ તય કર, પાપવાળા સદષ વ્યાપારને ત્યાગ કરે, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શેભાને. ત્યાગ કર એમ પિષધવત ચાર પ્રકારનું છે. ૮૫. - વિવેચન–આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા આ ચાર પર્વો કહેવાય છે. ચારે પર્વોમાં પિષધ કરવાનું કહ્યું છે. તેને આશય એ સમજાય છે કે ગૃહસ્થ નિરંતર સંસારિક કાર્યોથી નિવૃત્ત થઈ શકતા નથી. એટલે ઓછામાં ઓછા એક મહિનામાં ચાર પિષધ તે કરવા જોઈએ. પણ કેઈ વિશેષ ધર્માભિલાષી ચારથી પણ વધારે પૈષધ કરે તે કાંઈ ગેરફાયદો નથી, બલ્ક વિશેષ ફાયદાજનક છે. તથા જેનાથી ચાર પણ ન બની શકે તેણે જેટલા બને તેટલા પણ કરવા જોઈએ. પિષધ બે પ્રકારનાં છે. દેશથી અને સર્વથી. આહારને સર્વથા ત્યાગ, વ્યાપારને સર્વથા ત્યાગ, બ્રહાચર્ય સર્વથા પાળવું અને શરીર સત્કાર બીલકુલ ન કરવો, એ સર્વથી
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy