SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ પષધ કહેવાય છે અને જેમાં પૂર્વોક્ત ચારે વસ્તુને છેડે નિયમ કરવામાં આવે છે, તે દેશપૈષધ કહેવાય છે. આહારને મૂકીને બાકીના ત્રણ પ્રકારને સર્વથા ત્યાગ કરનારને સામાયિક ઉચરવું જરૂરનું છે અને તે ત્રણ સાથે આહાર ત્યાગ દેશથી કે સર્વથી બંને પ્રકારે થઈ શકે છે. ' દેશથી ચારે પ્રકારના ત્યાગ કરનારને આખા દિવસ માટે સામાયિક ઉચ્ચરવાનું નથી, પણ જ્યારે બધે ત્યાગ કરે ત્યારે ઉચચરી શકાય છે. આ પિષધ ચાર પ્રહરને કે આઠ પ્રહરને થઈ શકે છે. પષધવ્રત કરનારની પ્રશંસા " गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम् । . दुष्पालं पालयन्त्येवं, यथा स चुलनीपिता ॥ ८६ ॥ તે ગૃહસ્થીઓને પણ ધન્ય છે કે જે ચુલની પિતાની જેમ (ઉપસર્ગમાં) દુખે પાળી શકાય તેવા પવિત્ર પિષધવતને પાળે છે. | વિવેચન પૂર્વે જ્યારે શ્રીમાન મહાવીરદેવ આ પૃથ્વી તલપર વિચારતા હતા ત્યારે વાણુરસીનગરીમાં ચુલની પિતા નામને એક ધનાઢ્ય ગૃહપતિ હતા. તેને શ્યામા નામની સદ્દગુણશાળી સ્ત્રી હતી અને ચોવીસ કરોડ સેનામહેર તથા આ ગોકુળને તે માલિક હતે. એક વખત તે વાણારસીનગરીના કેષ્ટક ઉદ્યાનમાં ભગવાન મહાવીરદેવ પધાર્યા હતા. તેમની પાસે ધર્મ શ્રવણ કરી ચુલનીપિતાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને તેવા યતિધર્મ લાયક સામર્થ્યના અભાવે તેણે શ્રાવકનાં ગૃહસ્થાને લાયક દ્વાદશ વ્રતે. લીધાં હતાં તથા પતિની આજ્ઞાથી ધર્મ શ્રવણ કરવા આવેલી શ્યામાએ પણ પાછળથી બાર વ્રત લીધાં હતાં. પોતાની વૃદ્ધ ઉમ્મર થતાં વડિલ પુત્રને ગૃહને કારોબાર સેંપી પોતાની પિષધશાળામાં ધર્મ ધ્યાન કરતાં તે કાળ નિર્ગમન કરતો હતે. ખરેખર મનુષ્યએ આત્મહિત માટે નિરંતર જાગૃત રહેવાનું છે. તેમાં પુત્રની પ્રાપ્તિ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy