________________
१७४
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ
આ બાજુ ચંદ્રાવત સક રાજા વિશેષ થાકી ગયો હતો. તેનું શરીર હવે ટકી ન શક્યું, કાત્સર્ગ મુદ્રામાં ઉભા ઉભાં રાજાને ચેથે પ્રહર થયો હતો. આ લાંબે નિરંતરને અભ્યાસ ન હોવાથી રાજાનું શરીર તુટવા લાગ્યું. છતાં ધર્મધ્યાનની સંતતિ તે વધતી જ હતી. ચોથા પ્રહરને અંતે દીપક બુઝાવાની સાથે રાજા પણ આ દેહથી બુઝાઈ ગયો. તેને આત્મા આ પરિષહ સહન ન કરી શકનારા દેહને મૂકી બીજા ઉત્તમ દેહમાં ચાલ્યા ગયે. ધ્યાનની પરાકાષ્ટા ન હેવાથી તેમજ કર્મો હજી બાકી હોવાથી તે રાજા સ્વર્ગમાં ગયે અને ત્યાંથી માનવ ભવમાં આવી કર્મ ખપાવી ક્ષે ગયે. આવી રીતે સામાયિક કરવાથી કર્મને ક્ષય થાય તથા સદ્દગત્યાદિ પણ મળે છે, માટે ગૃહસ્થાએ કર્મ અપાવવા નિમિત્તે સામાયિક નિરંતર કરવું જોઈએ. એ કહેવે કરી ગૃહસ્થનું સામાયિક વ્રત કહેવાયું.
હવે બીજું શિક્ષા વ્રત દેશાવકાશિક કહે છે.
ગૃહસ્થનું દશમું વ્રત दिव्रते परिमाणं यत् , तस्य संक्षेपण पुनः। વિને રાત્રી ૨ ફેશવાશિવત્રતમુને ૮૪ |
છઠ્ઠા દિવતમાં જે પરિમાણ જવા આવવાનું રાખવામાં આવ્યું છે તેને દિવસે તથા રાત્રે સંક્ષેપ કરે તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ૮૪.
વિવેચન–છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં અમુક શહેરથી આટલા જન સુધી વેપારાદિ ઘરકા જવાને જે નિયમ રાખવામાં આવ્યા છે તે યાવત્ જીવ પર્યત માટે છે. પણ તેટલું નિરંતર કાંઈ જવામાં આવતું નથી, માટે પૂર્વે રાખેલ દિશાના નિયમમાંથી ઘણું જ ઓછું જવાનું પ્રમાણ દિવસનું કે રાત્રિનું રાખવું. અર્થાત્ ધારે કે પાંચસો ગાઉ જવા આવવાને નિયમ રાખ્યો છે, તેટલું આજે જવાનું નથી, તે આજે દિવસે અથવા રાત્રે એક ગાઉ કે બે ચાર ગાઉ જવાની