SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકમાં કનિજ રા ૧૭૩ રાજા રાજ્ય કરતો હતો. સદ્દગુરુના સાગે તત્ત્વનો નિર્ણય કરી આત્માહાર માટે શકત્યનુસાર ગૃહસ્થધમ તેણે સ્વીકાર્યાં હતા. “ ખરેખર તેજ બુદ્ધિ કહી શકાય છે કે જેનાથી આત્માદ્વાર થાય અને તેજ દેહનુ' સાથ કપણુ' છે, કે જેનાથી ધર્માંસાધનમાં પ્રવૃત્તિ કરાય છે. બાકી તે પશુઓમાં કે મનુષ્યમાં બીજો શું તફાવત છે ? કાંઈ નહિ. ” એક દિવસે આ મહારાજા રાત્રિના વખતમાં એક માજી સામાયિક લઇ ધર્મ ધ્યાનમાં લીન થયા હતા. તેણે એવા અભિગ્રહ રાખ્યા હતા કે આ ખાજીના ભાગ ઉપર જે દિપક મળે છે તે જ્યાં સુધી બુઝાઈ નહિ જાય ત્યાં સુધી મારે ધર્મધ્યાન કરવુ. પેાતે પહેલાં નિર્ણાય કર્યા હતા કે એક પ્રહરથી વધારે તે દીપક ચાલશે નહિ. રાજા ધ્યાનમાં હતા તેટલામાં દાસી ત્યાં આવી. રાજાને ધ્યાન મગ્ન જોઈ તે ઘણી ખુશી થઇ. અહા ! રાજ્યનાં આવાં સ્વત‘ત્ર સુખા વિદ્યમાન છે, છતાં પણ. આ અમારા મહારાજાના ધર્મ પ્રત્યે કેટલેા દૃઢ પ્રેમ છે? ખરેખર, એજ તેમની સદ્ગતિની અને મહાપુરુષતાની નિશાની છે. દુનિયાના પામર જીવા સહેજસાજ ધનની પ્રાપ્તિ થઈ કે જાણે કાઈ વખત ન મળેલી અપૂર્વ વસ્તુ હોય તેમ તે ધનને વળગી રહે છે અને ખાટી રીતે દુરુપયેાગ કરે છે, ત્યારે આ અમારા મહારાજા ધનના તે શું પણ દેહના પણ સદુપયેાગ કરે છે. આ પ્રમાણે રાજાની પ્રશંસા કરી રાજાને કાઈ વિન્ન ન આવે તે માટે તેણે દીવામાં વધારે તેલ પૂર્યું'. ધર્મધ્યાન કરતાં બે પ્રહર થઇ ગયા. રાજા હજી ઉઠયા નથી તે જાણી ફરી દાસી ત્યાં આવી અને દીવાને આંખા થયે જાણી વળી એક પ્રહર પહોંચે તેટલું તેલ પૂ યું, રાજાનુ શરીર સુકુમાળ હાવાથી થાકી ગયું. સદ્ભાવથી પણ દાસીએ રાજાના શરીરને ખાધાનુ કારણ મેળવ્યું. આ ધર્મિષ્ઠ રાજાએ પણ પેાતાના અભિગ્રહ સાંગોપાંગ પાળવા માટે દૃઢ થઈ પ્રયત્ન શરૂ જ રાખ્યા. ત્રણ પ્રહર પૂરા થયા બાદ ફરી દાસી ત્યાં આવી. રાજાના ધર્મ ધ્યાનથી દાસી હ`ઘેલી જેવી થઈ ગઈ. વારવાર અનુમેાદન કરતાં તેણીએ દીવામાં વધારે તેલ પૂર્યુ..
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy