________________
૧૭૦
યોગશાસ્ત્ર ભાષાંતર-તૃતીય પ્રકાશ તે ચારમાં પ્રથમ દુર્ગાનનું સ્વરૂપ કહે છે वैरिघातो नरेन्द्रत्वं, पुरघाताग्निदीपने । खेचरत्वाद्यपध्यान, मुहूर्त्तात्परतस्त्यजेत् ॥ ७५ ॥
વૈરીને ઘાત કરૂં, રાજા થાઉં, શહેરને નાશ કરૂં', અગ્નિ સળગાવી મુકું આકાશમાં ઉડવાની વિદ્યા મળે તે આકાશમાં ઉડું અથવા વિદ્યાધર થાઉં તો ઠીક, વિગેરે ખરાબ ધ્યાને (કદાચ આવી જાય તે પણ) એક મુહૂર્તવાર તેને ટકવા ન દેવાં, અર્થાત્ તત્કાળ તેને ત્યાગ કરે. ૭૫.
પાપપદેય–બીજો ભેદ वृषभान् दमय क्षेत्रं, कृष षाढय वाजिनः । दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते ॥ ७६ ॥
બળદોને દમન કરે, ક્ષેત્ર ખેડે, ઘેડાએ ને પંઢ (નપુંસક) કરો, વિગેરે જ્યાં પુત્ર, સ્ત્રી, ભાઈ વિગેરે સિવાયના બીજા માણસોમાં દક્ષિણતા ન પહોંચે તેમ હોય ત્યાં આ પાપને ઉપદેશ આપ ન જોઈએ. ૬૭.
વિવેચન–પિતાના કુટુંબમાં જ્યાં દક્ષિણતા પહેચતી હોય અને પોતાની આજીવિકા વિગેરે સાધન ન ચાલતાં હોય તથા કુટુંબમાં આગેવાન તરીકે હોવાથી તે ઠેકાણે સલાહ કે ઉપદેશ આપ્યા સિવાય ચાલતું ન હોય તેવા ઠેકાણાઓને મુકી વગર પ્રજને બુદ્ધિનું ડહાપણ વાપરવા યા લેકમાં સારા થવા માટે આવા પાપપદેશે વ્રતધારી ગૃહસ્થીઓએ ન આપવા; તે જ તેનું આ આઠમું વત બન્યું રહે છે. ૭૬.
હિંસક ઉપકરણ ન આપવા-ત્રીજો ભેદ यन्त्रलाङ्गलशस्त्राग्नि-मुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्र नार्पयेत्करुणापरः ॥ ७७ ॥