SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ મનુને આચાર્ય શ્રી જંવાબ આપે છે ૧૫૮ મહાન અજ્ઞાનથી દેવ, પિતૃ અને અતિથિઓને માટે પણ તે માંસ કપે છે. ૩. તેઓએ પિતાના શાસ્ત્રમાં કહ્યું છે કે'क्रीत्वा स्वयं वाऽप्युत्पाद्य, परोपहृतमेव वा। देवान् पितॄन् समभ्यर्च्य खादन् मांस न दुष्यति' ॥ ३१ ॥ (કસાઈની દુકાન સિવાય બીજેથી) વેચાતું લાવીને અથવા પોતે ઉત્પન્ન કરીને (માંગી લાવીને) અથવા બીજાએ આપેલા માંસ વડે કરી દેવને પિતૃઓને પૂજીને તે માંસ પિતે ખાતાં દૂષિત થતું નથી. અર્થાત્ તેમ કરી ખાવામાં દોષ નથી. આ પ્રમાણે મનુ કહે છે. ૩૧. * વિવેચન-અફસોસ છે કે મનુષ્યને માંસ ન ખાવાનું એક વખત બતાવી, દેવની ભક્તિ કરી ફરીને ખાવાનું બતાવવામાં આવે છે. જ્યારે મનુષ્યોને માંસ ખાવું તે અનુચિત છે તે દેને તે કેવી રીતે ઉચિત ગણાયું? અને આવા મળમૂત્રથી ભરેલા દુર્ગછનિય માંસને ખાનારા દેવ મનુષ્ય કરતાં. કેટલા અધમ ગણું શકાય? તથા તેવા દે મનુષ્યોને કેવી રીતે સહાયકારી થઈ શકે એ વિચારવા જેવું છે. મંત્રથી સંસ્કૃત માંસ ખાવામાં કેઇ દોષ નથી એમ મનું કહે છે. આચાર્યશ્રી ઉત્તર આપે છે मन्त्रसंस्कृतमप्यद्याद् यवाल्पमपि नो पलम् । भवेजीवितनाशाय हालाहललवोऽपि हि ॥ ३२ ॥ મંત્રથી સંસ્કાર કરાયેલું પણ માંસ એક જવના દાણા જેટલું થોડું પણ ખાવું નહિ. કેમકે ઝેરનું એક ટીપું પણ જીવિતવ્યના નાશને માટે થાય છે. (તેમ ડું પણ માંસ દુર્ગતિ આપનાર છે.)૩૨
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy