________________
૧૬
૨ જન્મ
ધંધુકા નગરમાં ચાચિગ (ચાચા) શાહ નામને માઢ વણિક વસતા હતા, તેને પાહિની (ચાહિરી) નામની સ્ત્રી હતી. તેને એક અદ્ભુત સ્વપ આવ્યુ` કે મેં એક અમૂલ્ય ચિંતામણિ રત્ન ગુરુ મહારાજને સમર્પણ કર્યું”, આ સ્વપનું ફળ પૂછવા તે ઉપાશ્રયે ગઇ. આ વખતે ઉપરોક્ત શ્રી દેવચદ્રસૂરિ ઉપાશ્રયમાં બિરાજતા હતા. તેમને પૂછવામાં આવતાં કહ્યું – હું શ્રાવિકા ! તમને એક સુંદર પુણ્યશાળી અને મહિમાવંતા પુત્ર થશે, પરંતુ તે પુત્રરત્નને તમે ગુરુ મહારાજને અપણુ કરશે તે જ તે શ્રી જૈનશાસનનાં ઉદ્યોત કરશે !' ગુરુ વિહાર કરી ગયા. આ દિવસથી તેને ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થતાં સંવત ૧૧૪૫ના કાર્તિક શુદી પૂર્ણિમાને દિને પુત્રના જન્મ થયેા. માતાપિતાંએ તેના ઉત્સવ કરી ચગદેવ એ નામ આપ્યુ.
૩ દીક્ષા
પુત્ર પાંચ વર્ષના થયા, ત્યારે દેવચંદ્રસૂરિ પણ આ અવસર જોઈ પધાર્યાં. સૂરિને વાંઢવા સર્વ સ`ઘ ગયા, ત્યારે માતા પણ આ પુત્રને લઈ વ`દન કરવા ગઈ. આ વખતે પુત્ર ચંગદેવ, ખાલચેષ્ટા કરતા ગુરુના આસન—પાટ-ઉપર બેસી ગયા. આ જોઇને આચાર્ય માતાને કહ્યું કે ‘પ્રથમ મે' જણાવેલું સ્વપ્નનું ફળ યાદ છે કે ? તે પૂ થવાના હવે અવસર આવ્યા છે. તે અમેને તે પુત્ર ભાવસહિત આપા તે ધણુ પુણ્ય થશે.' પછી બાળકના અંગનાં લક્ષણા ગુરુએ જોયાં અને તે પરથી કહ્યું કે ‘જો આ પુત્ર ક્ષત્રિય કુળમાં જન્મ્યા હાયતા સાર્વભૌમ રાજા થાય, બ્રાહ્મણ યા વિણક કુળમાં જન્મ્યા હાય તા મહા અમાત્ય થાય. વણિક કુળમાં જન્મ્યા છે તેથી તે જો દીક્ષા ગ્રહણ કરે તે આ કલિયુગમાં મૃતયુગ પ્રવર્તાવે તેવા થાય!’ ત્યારે પુત્રની માતા ખાલી મારા પતિ કે જે મ્હેશરી-વૈષ્ણુવ છે તે બહારગામ ગયેલ છે. જો તે કાપે તા તેને શા ઉત્તર દેવા ? ’આ સંવાદ પછી માતાએ પેતાના ભાવાલ્લાસપૂર્વક પુત્ર ગુરુને સેાંપ્યા.