________________
પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા
૧૪૧ પરસ્ત્રી સાથે સહદર તુલ્ય વૃત્તિ રાખે છે તે આતે ધર્મધુરંધર સુદર્શનના સંબંધમાં કહેવું જ શું?” અભયાએ જણાવ્યું, તે હું જાણું છું પણ હવે થઈ તે થઈ માટે કેઈ ઉપાય કરે કે જેથી મારી પ્રતિજ્ઞા સફળ થાય. પંડિતાએ તપાસ કરી જણાવ્યું કે આઠમચૌદશ સુદર્શન પષધ કરી રાત્રે એકાંત ઘરમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહે છે. તે રાત્રે તેને અહીં ઉપાડી લાવ.
એક દિવસે કૌમુદિ મહત્સવને દિવસ હતું. રાજાએ ઢંઢેરો પીરાવ્યો કે નગરમાંથી સર્વ સ્ત્રી પુરુષોએ બહાર નીકળી જવું અને રાત્રિ દિવસ વનમાં આનંદથી ગુજાર. તે દિવસ માસી ચતુદશીને હોવાથી શેઠે વિચાર્યું કે મને ધર્મમાં ખલેલ પડશે. રાજા પાસે ભેંટણું મૂકી તે દિવસ શહેરમાં ધમ ધ્યાનમાં રહી ગુજારવા દેવા માટે અરજ કરી. રાજાએ તેને ધર્મિષ્ટ હેવાથી રજા આપી. શેઠે દિવસ આખે ચિત્ય પરિપાટીમાં ગુજાર્યો. રાત્રે પિષધ કરી શૂન્ય ગૃહમાં કાયોત્સર્ગમાં રહ્યા અને પ્રાતઃકાળ થયા સિવાય ગમે તેવા ઉપસર્ગ થાય તે પણ ચલાયમાન ન થવું તે અભિગ્રહ કર્યો. આ વાતની ખબર પંડિતાને પડી. પંડિતાએ અભયાને કહ્યું કે જે તું આજે બહાર ન જાય તે તારું કામ થાય. અભયાએ પેટમાં દુખવાનું બહાનું કાઢી રાજા પાસેથી શહેરમાં રહેવાની રજા મેળવી. ચેકીને જાતે પૂર્ણ હતું એટલે સુદર્શનને અંદર કેમ લાવે તે વિચારમાં પંડિતા મુઝાવા લાગી. - આખર એવા નિર્ણય ઉપર આવી કે દેવની મૂર્તિના બહાનાથી તેને અંદર લઈ જ. પછી કામદેવની ઉભી મૂર્તિ ગાડી ઉપર ચડાવી પંડિતા રાજગઢમાં લઈ ગઈ ચોકીદારના પૂછવાથી તેણે તે મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે રાણ સાહેબ આજ બહાર જવાનાં નથી માટે મૂર્તિઓનું પૂજન કરવા રાજગઢમાં લઈ જવામાં આવે છે. બે ચાર મૂર્તિઓ તેવી રીતે લઈ જઈ કાસગ મુદ્રાએ દયાનમાં રહેલા સુદર્શનને ગાડી ઉપર ચડાવી અભયા રાણુ પાસે લાવી મૂક્યો.