SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ યોગશાસ્ત્ર ભાષાંતર -દ્વિતીય પ્રકાશ પોતાના મનોરથ પૂર્ણ થયા સમજી અભયા નજીક આવી હાવભાવ કરવા લાગી. સુદર્શન ધ્યાનમાં જાગૃત હતે. ઉપસર્ગ આવ્યા જાણી તે વધારે દઢ થતા ગયા. અભયા કહે છે કે, “તમારે માટે મેં આ બધી મહેનત કરી છે માટે મને શાંત કરે.” સુદર્શન બેલ્યા નહિ, અભયાએ હાથ પકડ્યો, આલિંગન કર્યું અને કાત્પન્ન કરવાની પિતામાં જેટલી ચાતરી હતી તે સર્વ વાપરી ચુકી, પણ પત્થર ઉપર પાણું ઢાળવા સમાન નિરર્થક થયું. અભયા ગુસ્સે કરી બેલી, “સુદર્શન મારૂં કહેવું માન્ય કર. હું તુષ્ટમાન થઈ તે રાજ્ય બધું તારે આધિન છે અને રેષાયમાન થઈ તે આ તારૂં જીવિતવ્ય પણ નથી એમ નિશ્ચય રાખજે. પણ સાંભળે કે? આ પ્રમાણે આખી રાત્રિ સુદર્શનને મનાવતાં ગઈ. આખરે પ્રાતઃકાળ થતે જણ પિતાનું કામ સિદ્ધ ન થયું અને હવે ઉલટે ફજેતે થશે એમ જાણી પિતાને હાથે પિતાના શરીર પર કેટલાક જખમ કરી રાડ પાડવા લાગી કે દોડે દોડે, કોઈ અંતઃપુરમાં દાખલ થયો છે અને મારી આબરૂ લુંટે છે. ખરેખર સ્ત્રીઓના પ્રપંચે ય ચરિત્રને કઈ પાર પામી શકતું નથી. ચોકીદારે દેડી આવ્યા અને કેટલીકવારે રાજા પણ આવ્યા. સુદર્શનને રાજાએ ઓળખ્યો. અભયાએ રાજાને જણાવ્યું કે ઓચિંતે આ માણસ મહેલમાં દાખલ થયો અને મારૂં શીયળ લુંટતે હતા. મેં રાડ પાડી મારું રક્ષણ કર્યું છે. રાજા સુદર્શનને પૂછે છે, “શેઠ ! આમાં સત્ય શું છે તે જણાવ. મને તારા વચન ઉપર વિશ્વાસ છે.” શેઠે વિચાર કર્યો કે જે હું સત્ય કહીશ તે રાજા સ્ત્રીને મારી નાખશે, એમ જાણી શેઠ મૌન રહ્યા. ઘણું પૂછવા છતાં જ્યારે શેઠે ઉત્તર ન આપે ત્યારે રાજાએ ગુસ્સે થઈ શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. શેઠને શહેરમાં થઈ શૂળીએ દેવા લઈ જતાં જોઈ શહેરમાં હાહાકાર થઈ ગયો. તેની સ્ત્રી મનેરમાને ખબર પડી. સતી મનેરમાએ ગૃહચૈત્યમાં જઈ શાસનદેવીઓને વિજ્ઞપ્તિ કરી કે જે મારે સ્વામી નિર્દોષ હોય તે શાસનાધિષ્ઠાતૃ દેવદેવીએ મને સહાય કરજો અને
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy