SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ખેલી આપ્યું. સુદર્શન ઘેર આવ્યું અને હવેથી સાથે સહાયક લીધા સિવાય કોઈને ઘેર વગર પ્રસંગે ન જવું તે નિર્ણય કર્યો. ઈન્દ્ર મહેચ્છવને દિવસ હતે. સારાં સારાં વસ્ત્રાભૂષણે પહેરી સર્વ કે બહાર જતાં હતાં, અભયા રાણી કપિલા પુરોહિતની સાથે રથમાં બેસી ફરવા નીકળી. તેવામાં આજુબાજુ દેવકુમાર જેવા છ પુત્રોથી ઘેરાએલી એક સ્ત્રીને કપિલાએ જોઈ અભયાને પૂછે છે; બાઈ સાહેબ ! આ ભાગ્યવાન સ્ત્રી કેશુ છે?” અભયાએ જવાબ આવે; “આપણા નગરના પ્રખ્યાત ધર્મિષ્ઠ શેઠ સુદર્શનની આ સ્ત્રી છે અને એ પુત્ર તેના છે.” કપિલા હસીને બેલી. “બાઈ સાહેબ! તેને પુત્રે ક્યાંથી હોય?” રાણીએ જવાબ આપ્યો “કપિલા આ શું બોલે છે ? પુરુષવાળી સ્ત્રીને પુત્ર ન હોય ત્યારે કેને હેય?” કપિલાએ જવાબ આપ્યો; “તેને સ્વામી પુરુષાર્થ રહિત છે. આ પ્રમાણે કહી પિતાને સર્વ વૃત્તાંત રાણીને જણાવ્યું. અભયા હસીને બેલી, “અરે મુગ્ધા ! સુદર્શને તને ઠગી છે. તે પરસ્ત્રી તરફ નપુંસક છે પણ સ્વસ્ત્રી તરફ નપુંસક નથી.' કપિલા જરા મેટું ચડાવીને બોલી, “ઠીક છે, હું તે મુગ્ધા છું અને મને ઠગી છે, પણ તમે તે ચતુર છોને!” અભયા બેલીઃ “મારા હાથના સ્પર્શથી તે પત્થર પણ ગળી જાય તે પુરુષની તે વાત જ શી કરવી?” કપિલાએ કહ્યું: “આટલે બધે ગર્વ રાખે છે ત્યારે હવે તમે સુદર્શન સાથે વિલાસ કરશે જ. માનના આવેશમાં આવી જઈ અભયાએ પ્રતિજ્ઞા કરી કે જે સુદર્શન સાથે વિલાસ ન કરૂં તે અગ્નિમાં પ્રવેશ કરી બળી મરું. ખરેખર અજ્ઞાની મનુષ્યને માન ક્યાં કરવું તેની ખબર પડતી નથી. તેથી જ પિતાની મર્યાદા અને ધર્મને ઓળંગી રાણીએ અનર્થકારી પ્રતિજ્ઞા કરી. મહત્સવમાં ફરી સર્વ કેઈ પોતપિતાને ઠેકાણે ગયા. અભયાના હૃદયમાં ચિંતા અગ્નિ સળગવા લાગ્યો. શાંત કરવા માટે પિતાની ધાવ માતા પંડિતાને બોલાવી પિતાની પ્રતિજ્ઞા જણાવી. પંડિતાએ પ્રતિજ્ઞા માટે ઠપકે આપ્યું અને કહ્યું કે “આ પ્રતિજ્ઞા તે ઠીક નથી કરી, કેમકે સાધારણ જેની પણ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy