SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્ત્રીને ત્યાગ કરનાર સુદશનશેઠની કથા ૧૩૦ મિત્રતાથી મારા આત્માને ધન્ય માનું છું. અને દિવસ માટે ભાગ તે સદગુણીની સાથે પૂર્ણ કરું છું. તેથી મોડું અવાય છે. પતિ મુખથી સુદર્શનના ગુણોનું વર્ણન સાંભળી કપિલા તેને ઉપર મહિત થઈ ખરેખર અમૃત પણ નિર્ભાગી મનુષ્યને વિષ તુલ્ય થઈ પરિણમે છે. ગમે તે પ્રયો ગકપિલાએ સુદર્શનને મળવાને નિર્ણય કર્યો. એક દિવસ કપિલ બહાર ગામ ગયે. તે અવસર જોઈ કપિલા સુદર્શન પાસે આવી અને “તમારે મિત્ર ઘણે બીમાર છે માટે તમને બોલાવે છે એમ કહી ઉભી રહી.” સરલ હદયના સુદર્શને તે વાત સાચી માની અને મિત્રને મળવાને કઈ પણ માણસને સાથે લીધા સિવાય કપિલા સાથે ચાલી નીકળ્યો. ઘરમાં જઈ કપિલાને કહ્યું: “મારે મિત્ર ક્યાં છે?” તેણે કહ્યું: “અંદર અગાશીમાં છે. આગળ જાઓ.” સુદર્શન આગળ ચાલે એટલે કપિલાએ દ્વાર બંધ કર્યા, સુદર્શનને શંકા પડી. તેણે ફરી પૂછ્યું: “મારે મિત્રકપિલ ક્યાં છે.” કપિલાએ જવાબ આપે. “કપિલને બદલે આજે કપિલાને જ મળે. મારા પતિના મુખથી તમારા ગુણ સાંભળ્યા ત્યારથી મારી મનોવૃત્તિ તમારા તરફ લલચાઈ હતી. હવે આજે મારી પ્રાર્થના સફળ કરો અને મને શાંતિ આપે. સુદર્શન એકાએક સ્ત્રીના કહેવાથી કેઈને સાથે લીધા સિવાય આ બીજાના ઘરમાં આવે તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ આ પશ્ચાત્તાપ નકામો હતે. પાણી પાઈને, ઘર પૂછવા જેવું થયું. કપિલા તેને મૂકે તેમ નહોતી. મેહાં. મનુષ્યને કર્તવ્યાકર્તવ્યને વિવેક હેતો નથી. કપિલા સુદર્શનને વળગી પડી. તાત્કાળિક બુદ્ધિવાળા સુદર્શને ખુલ્લા હદયથી દિલગીર થઈ જવાબ આપ્યો, કપિલા તમારું કહેવું હું માન્ય રાખી શકતું નથી, કારણ કે વિધાતાએ મારા સુંદર રૂપ સાથે નપુંસકપણાને દોષ પણ દાખલ કર્યો છે, અર્થાત્ હું નપુંસક છું, દઢ હૃદયવાળા મનુષ્યના હૃદયમાં ઈચ્છા સિવાય વિકૃતિ થતી નથી.. કપિલા વિલખી થઈ ગઈ અને તત્કાળ સુદર્શનને જવા માટે દ્વાર
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy