________________
૧૪
આયંબિલ ભવન” નિર્માણ થયાં. પં. શ્રી દાનવિજ્યજી મ.ની પ્રેરણાથી સંવત ૨૦૩૮માં “શ્રીમતિ વસુમતિબેન રસિકલાલ કેશવલાલ અતિથિગૃહ”નું નિર્માણ થયું. “સ્વ. પૂજ્ય સાધ્વીજી શ્રી મણીશ્રીજી-રંજનશ્રીજીરમણકશ્રીજી શ્રાવિકા ઉપાશ્રય” નામ સંસ્કરણ થયું. તેવી જ ઉપાશ્રયની વીંગને “શ્રીમતિ રંભાબેન રતિલાલ શાહ શ્રાવિકા ઉપાશ્રય” તથા “શ્રીમતિ ઝવેરીબેન ચુનીલાલ શ્રાવિકા ઉપાશ્રય” નામ સંસ્કરણ કરવામાં આવ્યું, તેમજ “શ્રીમતિ સુભદ્રાબેન ઉમેદચંદ વકીલ શ્રાવિકા પિષધશાળા” અને “વકીલ ચુનીલાલ ચત્રભુજ જૈન પાઠશાળા ભવન’ નામ સંસ્કરણ થયાં. ઉત્તર તરફ શ્રી કુંથુનાથસ્વામી પ્રાસાદે “શાહ જેઠાલાલ વીરજીભાઈ જેન આરાધના ભૂવન” અને “શ્રીમતી ચંચળબેન જેઠાલાલ જૈન પાઠશાળા ભવન” પણ સંઘહસ્તક નિર્માણ પામ્યા. તેવી જ રીતે પૂર્વ દિશામાં શ્રી મહાવીર સ્વામી પ્રાસાદે શ્રી પૂર્વ વિભાગ કમીટી લિર્મિત “શાહ વૃજલાલ ત્રીભોવનદાસ જાંબુવાલા જૈન ઉપાશ્રય” નિર્માણ થયો. તેમજ પૂજ્ય શ્રી પ્રમોદચંદ્રવિજયજી આરાધના ભવન નિર્માણ થઈ રહ્યું છે. પશ્ચિમ તરફ શ્રી સરદાર સોસાયટી તરફ ચંદ્રપ્રભુસ્વામી પ્રાસાદે આરાધના ભવન અને પાઠશાળા ભવન નિર્માણની યોજનાઓ વિચારણામાં છે.
સંવત ૨૦૩૮ માં પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સાની નિશ્રામાં વકીલ ઉમેદચંદ બેચરદાસ વ્યાખ્યાન ગૃહ અને શાહ જયંતિલાલ વાલજીભાઈ વ્યાખ્યાન હોલનું ઉદ્દઘાટન થયું.
નાના ગામમાં પણ વિહાર ભૂમિ સુરેન્દ્રનગર જિલ્લો પૂ. સાધુ-સાધ્વીજીના વિહારની ભૂમિ છે. ગામડામાં ઉપાશ્રયો નિર્માણની યોજના શ્રી સંઘે અમલમાં મૂકી છે. તદ્દ અનુસાર (૧) ઓળકમાં શ્રીમતિ કાન્તાબેન ઉત્તમચંદ જૈન ઉપાશ્રય, (૨) મઢવાણમાં શાહ રતીલાલ સુખલાલ જૈન ઉપાશ્રય નિર્માણ થઈ ગયા છે, (૩) અણુદ્રામાં સંઘને ઉપાશ્રય છે, (૪) બાકરથળીમાં શ્રીમતિ ચંપાબેન રતીલાલ જૈન ઉપાશ્રય માટે જમીન લેવાઈ ગઈ છે. લટુડા-કોઠારીયા-વીઠલગઢમાં ઉપાશ્રય બનાવવા તજવીજ ચાલી રહી છે. I શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદની પ્રતિષ્ઠાને એક સો વર્ષ નજીકમાં જ પૂર્ણ થવામાં આવે છે. દસ શ્રાવકેના ઘરથી શરૂ થયેલો શ્રી સંધ આજે ૧૨૦૦ ઘરની સંખ્યા ધરાવે છે. એકહજાર શ્રાવક કુટુંબે દર્શન જ્ઞાન-ગારિયરૂપ રત્નત્રયીની આરાધના કરી રહેલ છે. શ્રી સંઘની આ ગૌરવગાથા યાવચંદ્રદિવાકરૌ સુધી જવલંત રહે એ જ શુભાભિલાષા–