SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ત્રીભોવનદાસ રાઘવજીભાઈ જાંબુવાલાએ લાભ લીધો હતો. છરી પાળતાં સંઘપાદવિહારથી તીર્થયાત્રાઓ કરી અપાર પુણ્યરાશિની વૃદ્ધિ કરી છે. ૧. સંવત ર૦૦૮માં પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને ૨. સંવત ૨૦૩૩માં પ. પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વર તીર્થને. ૩. સંવત ૨૦૩૫માં પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વરજી તીર્થને. ૪. સંવત ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી પ્રમોદવિજયજી મ. સા. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને તથા પ. સંવત ૨૦૪૫માં પૂ. મુનિરાજ શ્રી જ્યરત્નસાગરજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી ગુણોદયાશ્રીજી મ. સા. ની નિશ્રામાં શ્રી શંખેશ્વરજી મહાતીર્થને તપ, ત્યાગ અને તીતીક્ષાથી શ્રી સંધના ઘરમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી આવી છે. અંદાજે ૭૫ થી ૮૦ શ્રાવક શ્રાવિકાઓએ પ્રવજ્યા અંગીકાર કરી છે. સ્વપરનું કલ્યાણ સાધી રહ્યાં છે. શ્રાવક કુલે જેમ આજુબાજુના શહેરો અને ગામડાઓમાંથી આવી અન્ને વસવાટ કરવા લાગ્યાં તેથી શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ વિસ્તૃત કરવા જરૂર પડતાં નૂતન ત્રેવીસ દેવકુલિકાઓનું નિર્માણ કરવામાં આવ્યું–તેવી જ રીતે શ્રાવકકુલે શહેરની ત્રણેય દિશાઓમાં (દક્ષિણ દિશા તરફ ભોગાવો નદી આવેલી છે.) દૂર દૂર વસવાટ કરવા લાગ્યાં. આ શ્રાવકો શ્રદ્ધાંવંત અને જિન ભક્તિના રસિયા હતાં. તેમની માંગણી ધ્યાનમાં લઈ શ્રીસંઘે શહેરની પૂર્વ દિશા, શહેરની ઉત્તર દિશા અને શહેરની પશ્ચિમ દિશામાં જિનમંદિર નિર્માણ કર્યા. સંવત ૨૦૨૬ના જેઠ સુદિ ૩ અને જેઠ સુદિ ૪ ના રોજ અનુક્રમે શ્રી સર્વોદય સોસાયટી મળે ઉત્તરદિશા તરફ શ્રી કુંથુનાથસ્વામી ભગવંત આદિ ૧૧ જિનપ્રતિમાજીની અને પૂર્વ દિશામાં શ્રી જયહિન્દ સોસાયટી મધ્યે શ્રી મહાવીર સ્વામી ભગવંત આદિ પ્રતિષ્ઠા પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના. વરદ્ હસ્તે કરાવવામાં આવી. પશ્ચિમદિશા તરફ શ્રી સરદાર સોસાયટી મધ્યે શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવંત આદિ ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદે ત્રેવીસ દેવકુલિકા મળે ૪૬ જિનબિંબની પ્રતિષ્ઠા પ. પૂ. આચાર્યદેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મસા. ના વરદ્ હસ્તે સંવત ૨૦૩૫ના ફાગણ સુદિ ૩ ના રોજ કરાવવામાં આવી હતી. શ્રાવકે જિનભક્તિના રસિયા હોય છે. આરાધનાના પણ ખપી હોય છે એટલે ધર્મસ્થાનકે નિર્માણની શ્રેણિ મંડાણી. સંવત ૨૦૧૫માં શ્રી સંધના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીયુત કેશવલાલ ધારસીભાઈના બાદશાહી દાનથી “શાહ કેશવલાલ ધારસીભાઈ વર્ધમાન ખાત” અને “શ્રીમતી ચંચળબેન કેશવલાલ
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy