________________
પર ગમન અને તેના દે
૧૩૫ अपि प्रदत्तसर्वस्वात् कामुकात् क्षीणसंपदः । वासोप्याच्छेत्तुमिच्छन्ति गच्छतः पण्ययोषितः ॥ ९० ॥
न देवान गुरुनापि सुहृदो न च बान्धवान् । • असत्संगरतिनित्यं वेश्यावश्यो हि मन्यते ॥ ९१ ॥
कुष्ठिनोऽपि स्मरसमान् पश्यन्ती धनकाया । तन्वतीं कृत्रिमस्नेहं निःस्नेहां गणिकां त्यजेत् ॥ ९२ ॥
મનમાં કેઈ અન્ય પુરુષ ઉપર પ્રેમ હોય છે, વચનમાં તેનાથી વળી કઈ જુદા સાથે પ્રીતિ રાખે છે. અને વળી ક્રિયાથી (કાયાથી) તે વળી કઈ જુદા જ પુરુષ સાથે રમે છે. આવી વેશ્યાસ્ત્રીઓ સુખને માટે કેવી રીતે થઈ શકે? જેનું મેટું, માંસ ખાતી હોવાથી માંસથી દુર્ગંધિત, મદિરાથી મિશ્ર અને અનેક વિટ-જાર પુરુષાથી ચુંબન કરાયેલું છે એવું, ઉચ્છિષ્ટ-એઠાં ભેજનની માફક વેશ્યાના મુખને કે ચુંબન કરે? કામી પુરુષે પોતાનું સર્વ ધન વેશ્યાને આપ્યું હોય, પણ જ્યારે તે નિધન થઈ ત્યાંથી ચાલ્યા જાય છે, ત્યારે તે વેશ્યા જતા કામી પુરુષનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઈચ્છા રાખે છે. (અહા! કેટલી બધી સ્વાર્થતા, કે નિઃસ્નેહતા છતાં મેહાંધ પુરુષે સમજી શકતા નથી) વેશ્યાને સ્વાધિન થયેલો પુરુષ, નિરંતર લુચ્ચા, જુગારી, રંડીબાજદિ, ખરાબ પુરુષોની સેબતમાં જ આનંદ માને છે. પણ દેવ, ગુરુ, સારા મિત્ર અને બાંધવાની સોબતને બીલકુલ ઇરછતું નથી. ધનની ઈચ્છાથી, કેઢી આને પણ કામદેવ સમાન જેનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, નેહ વિનાની વેશ્યાને સમજુ માણસે એ અવશ્ય ત્યાગ કરવે.
પરસ્ત્રી ગમન અને તેના દોષ नासक्त्या सेवनीया हि स्वदारा अप्युपासकैः । आकरः सर्वपापानां किं पुनः परयोषितः ? ॥ ९३ ॥