SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ યોગશાસ્ત્ર ભાષાંતર-દિતીય પ્રકાશ તેમજ ચોરી કરનારનાં મિત્ર, પુત્ર, સ્ત્રી, ભાઈઓ અને માતા પિતાઓ વિગેરે જેમ મ્લેચ્છની સાથે સંસર્ગ કરતાં નથી તેમ તે ચિરની સાથે (રાજદંડના ભયથી યા પાપના ભયથી) એક ક્ષણમાત્ર પણ સંસર્ગ કરતાં નથી. ૭૧ સંજ િનિવૃત વમવિન્દ . .' . चौरोऽपि त्यक्तचौर्यः स्यात्स्वर्गभाग्रौहिणेयवत् ॥ ७२ ॥ . ચોરી કરવાવાળા પિતાના સંબંધીને પણ મુંડકની માફક રાજાઓ તિરસ્કાર કરે છે, અને ચોર હોય તે પણ ચોરીને ત્યાગ કરવાથી રોહિણીયાની જેમ સ્વર્ગને ભેગવનાર દેવ થાય છે. ૭૨ (તે બને દષ્ટાંતે બતાવે છે). બેનાતટ નામના નગરમાં મૂલદેવ રાજા રાજ્ય કરતે હતો. તેને રાજ્યમાં ચેર એટલો બધે ઉપદ્રવ વધી પડ્યો હતું કે, ધન માલ વિનાનાં સંખ્યાબંધ કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી પડ્યાં હતાં. એક દિવસે પ્રજાના આગેવાન લોકોએ એકઠા થઈ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, હે રાજન્ ! કાંતે ચરેથી અમારા ધન માલનું રક્ષણ કરે નહિતર અમને રજા આપે તે બીજા નિરુપદ્રવ રાજ્યમાં જઈને રહીએ. આ સાંભળતાં જ રાજા એકદમ આવેશમાં આવી ગયો અને બેલી ઉઠયો કે, અહા ! મારી પ્રજા આટલી બધી દુઃખી! અરે! મારી નિમકહલાલ કેટવાળ શું કાંઈ ખબર રાખતા નથી? તત્કાળ રાજાએ કેટવાળને બેલાવ્ય; કેટવાળ ઉદાસીન ચેહેરે રાજાના સન્મુખ હાથ જોડી કહેવા લાગ્યો, મહારાજ ! અમે સર્વે નિર્દોષ છીએ, અમે આખી રાત ચેરોની શોધમાં છીએ, પણ ચેરો હાથ લાગતા નથી. છતાં આપના માનવામાં ન આવે તે, આ કેટવાળમુદ્રા બીજાને અર્પણ કરે. રાજા સ્તબ્ધ થઈ ગયે. ચાર કેઈ મહાન પ્રચંડ અને શક્તિમાન જણાય છે. કેટવાળ વિગેરે નિર્દોષ હોય એ તેના ચહેરે અને વચને પરથી જણાઈ આવે છે. સભા વિસર્જન કરી ચેર શોધવા માટે રાજા પોતે ગુપ્ત રીતે ખડ્રગ લઈ નીકળી પડ્યો. ચારનાં સ્થાનકે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy