SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જીવહિંસાથી પણ ચરીને દોષ અધિક છે " ૧૨૫ अयं लोकः परलोको, धर्मों धैर्य धृतिर्मतिः। मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः ॥ ६७ ॥ પરનું ધન ચારનાર માણસે તેનું ધન જ લૂંટયું છે એટલું જ નહિ પણ તેની સાથે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્યતા ધૃતિ અને મતિ આ સર્વ ચેરેલું છે એમ સમજવું. કેમકે ધન લૂંટાયાની ગમગીનમાં તેને આ ભવ બગડે છે, ધીરતા રહેતી નથી, શાંતિમાં ખલેલ પડે છે અને બુદ્ધિ ગુમ થઈ જાય છે. માટે એક ઘન ચેર નારે ધન જ લુંટયું એમ નહિ પણ તેણે આ સર્વ વસ્તુઓને નાશ કર્યો છે એમ સમજવું. ૬૭. જીવહિંસાથી પણ ચોરીને દોષ અધિક છે एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥ એક જીવને મારવામાં આવે છે તે મારતાં એક ક્ષણવાર મરનાર જીવને દુઃખ થાય છે, પણ ધનનું હરણ કરવાથી તે તેના પુત્ર પૌત્રાદિ આખા કુટુંબને યાવત્ જીવ પર્યત દુઃખ થાય છે. ૬૮. . चौर्यपापद्रुमस्येह, वधबन्धादिकं फलम् । તે પંહો તુ, ૧ નવેના ચોરીરૂપ પાપવૃક્ષનાં ફલે આ ભવમાં વધ બંધાદિકથી અને પરલોકમાં નરકની વેદનાએ કરી ભેગવવા પડે છે. ૬૯ दिवसे वा रजन्यां वा स्वाने वा जागरेऽपि वा । संशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥ ७० ॥ શરીરમાં રહેલ શલ્યવાળા માણસની જેમ દિવસે અથવા રાત્રે, સ્વપ્નમાં કે જાગૃતમાં ચોરી કરવાવાળે માણસ કેઈ પણ વખત શાંતિ પામતે નથી. ૭૦ मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसजन्ति क्षणमपि न म्लेच्छैरिव तस्करैः ॥ ७१ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy