SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ યેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ અને મુખમાં થતા રોગે આ સર્વ અસત્ય બોલવાનાં ફળ છે, એમ જાણીને કન્યાલીકાદિ અસત્ય બલવાને ત્યાગ કરે. પ૩. કન્યાઅલીકાદિ અસત્યો બતાવે છે कन्यागोभूम्यलीकानि, न्यासापहरणं तथा । ... कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् ॥ ५४ ॥ કન્યા સંબંધી; ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને બેટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મોટાં અસત્ય કહેવામાં આવ્યાં છે. ૫૪. * : - વિવેચન-જુએ કે મનુષ્યોએ કાંઈ પણે અસત્ય બોલવું ન જોઈએ. તેમાં પણ સર્વથા અસત્ય બોલવાને ત્યાગ નથી કરી શકતા, તેઓએ સ્થળથી એટલે મોટાં મોટાં અસત્યોનો ત્યાગ કરે જ જોઈએ. તે જ બતાવે છે કે કન્યાના સંબંધમાં અસત્ય ને બલવું. નાની હેય ને મેટી કહેવી, દૂષણવાળી હોય અને નિર્દોષ કહેવી વિગેરે, સદેષ છતાં નિર્દોષ કહી આપસમાં વિવાહિત કરવાથી તેઓની આખી જીંદગી ફલેશિત નીવડે છે. કન્યાના ઉપલક્ષણથી કઈ પણ મનુષ્ય વ્યક્તિના સંબંધમાં અસત્ય ન બોલવું. ગાયના સંબંધમાં જુઠું ન બોલવું. ઉપલક્ષણથી સર્વ જનાવરેના સંબંધમાં સમજી લેવું. જમીન બીજાની હોય તેને પોતાની કહી દબાવી પાડવી વિગેરે જમીન સંબંધી અસત્ય ન બોલવું. સારો માણસ જાણી લખ્યા વગર અથવા વગર સાક્ષીએ કાંઈ પણ વસ્તુ પોતાને ત્યાં રાખી હોય, તેને દબાવી પાડવી યા માલિક મરણ પામ્યો હોય અને તેનાં સગાં વહાલાંઓને ખબર ન હોય યા હોય પણ ચક્કસ પુરાવા ન હોવાથી તેને છુપાવવી કે એળવવી, જેમ કે અમારે ત્યાં તેણે મૂકી જ નથી. આમ વિશ્વાસઘાત કર નહિ યા થાપણ ઓળવવી નહિ.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy