________________
૧૧૪
ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ इति स्मृत्यनुसारेण, पितृणां तर्पणाय या । . मूटैविधीयते हिंसा सापि दुर्गतिहेतवे ॥ ४७ ॥
આ પ્રમાણે પિતૃઓને તૃપ્ત કરવા માટે સમૃતિને અનુસરે મૂઢ પુરુષે જે હિંસા કરે છે તે પણ દુર્ગતિને માટે થાય છે. ૪૭. - વિવેચન-નિરપરાધી, નિરાધાર, મૂંગા અને કરૂણાજનક પિકાર કરતા ગરીબ પ્રાણીઓને રીબાવી રીબાવી મારીને, ધર્મ માનવો એ જ પહેલી મૂર્ખતા છે અને અગ્નિમાં નાંખેલા કે હતૃ એાએ ખાધેલા તેના માંસથી પિતૃઓની તૃપ્તિ થવી એ બીજી મૂર્ખતા છે. મરી ગએલા અને કર્માનુસાર અન્ય યોનિમાં ઉત્પન્ન થએલા અને આવી રીતનાં કુર કાર્યોથી તૃપ્ત થવું કે સુખી થવું એ કેવળ અસંભવિત છે. માટે આચાર્યશ્રી કહે છે કે પિતૃતૃપ્તિનિમિત્તે કરાતી હિંસા કરનારને દુર્ગતિના કારણરૂપ થાય છે અને તે કરનાર તથા કરાવનાર બને અજ્ઞાની જ છે; તેઓ કરી નિર્ભય થઈ શકતા નથી. કેમકે મારેલા જીવ તેને બદલે લીધા સિવાય રહેવાના નથી અથવા કઈ જૂદી જ રીતે હિંસા કરનારને તેને બદલે મળે છે.
નું રક્ષણ કરનારને ભય નથી यो भूतेष्वभयं दद्यात् भूतेभ्यस्तस्य नो भयम् ॥ याग वितीयते दान, तादृगासाद्यते फलम् ॥ ४८ ॥
જે પ્રાણીઓને અભય આપે છે તેને પ્રાણી રમે તરફને ભય થતું નથી. કેમકે જેવું દાન આપ્યું હોય તેવું તેનું ફળ પમાય છે. ૪૮.
હિંસક દેને પણ ન પૂજવા જોઈએ. कोदण्डदण्डचक्रासि शूलशक्तिधराः सुराः ॥ . हिंसका अपि हा कष्टं पूज्यन्ते देवताधिया ॥ ४९ ॥ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે, ધનુષ્ય, દંડ, ચક્ર,