________________
૧૧૩
સ્મૃતિમાં પિતૃપ્તિ નિમિત્તે કરેલી હિંસા.
हविर्यचिररात्राय यच्चानन्त्याय कल्पते । पितृभ्यो विधिवद्दत्तं तत्प्रवक्ष्याम्यशेषतः ॥ ४१ ॥ तिलैींहियवैरिद्भिर्मलफलेन वा । दत्तेन मासं प्रीयन्ते विधिवत्पितरो नृणाम् ॥ ४२ ॥ द्वौ मासौ मत्स्यमांसेन त्रीन्मासान् हारिणेन तु । औरभ्रणाथ चतुरः, शाकुनेनेह पञ्च तु ॥ ४३ ॥ षण्मासांश्छागमांसेन, पार्षतेनेह सप्त वै । अष्टावणस्य मांसेन, रौरवेण नवैव तु ॥ ४४ ॥ दशमासांस्तु तृप्यन्ति वराहमहिषामिषैः । શાકૂથોમસેન માને તુ . ૪૫ / संवत्सरं तु गव्येन, पयसा पायसेन तु । वाीणसस्य मांसेन, तृप्तिादशवार्षिकी ॥ ४६ ॥ પિતૃઓને વિધિપૂર્વક આપેલું હવિ (શ્રાદ્ધ) ચિરાત્રિ માટે (લાંબા કાળને માટે) અને આતંત્યને માટે ( અનંત કાળને માટે) થાય છે તે સર્વ હું કહું છું. તલ, ડાંગર, જવ, અડદ, પાણી, મૂળ અને ફળ આ સર્વ વિધિપૂર્વક આપવાથી મનુષ્યનાં પિતૃઓ એક મહિના સુધી તૃપ્ત થાય છે. મત્સ્યના માંસ વડે બે મહિના, હરિણનાં માંસ વડે ત્રણ મહિના, ઘેટાનાં માંસ વડે ચાર મહિના અને પક્ષીના માંસ વડે પાંચ મહિના સુધી પિતૃઓ તૃપ્ત થાય છે. બકરાના માંસથી છ મહિના, પૃષત જાતિના હરણના માંસ વડે સાત મહિના, એણ જાતિના જનાવરના માંસથી નવ મહિના, ડુક્કર અને પાડાના માંસ વડે દશ મહિના અને સસલા તથા કાચબાને માંસ વડે કરી અગિયાર મહિના પિતૃઓ તૃપ્ત થાય છે. ગાયના દૂધ અને ક્ષીર વડે બાર માસ અને વૃદ્ધ બકરાને માંસ વડે બાર વર્ષ સુધી પિતૃઓની તૃપ્તિ થાય છે.