________________
૧૧૦
રોગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ પરભવે જૂદી જૂદી ગતિમાં કર્માનુસારે જૂદા પડેલા, ત્યાં તે દુઃખમાં ભાગ લેવા ક્યાંથી આવશે? મારે તો જેમ અહીં એકલા દુઃખ ભોગવવાનું છે, તેમ ત્યાં પણ એકલા જ દુખ ભેગવવાનું છે. માટે દુખમાં ભાગ લેવાનું ખોટું બહાનું મૂકી ઘો.
હું તે ભગવાન મહાવીરનાં વચનથી જાણું છું અને તમને પ્રતીતિ કરાવવા માટે જ મારે જાણી જોઈને પગ ઉપર ઘા લેવો પડ્યો છે.” આ પ્રમાણે કહી આખા કુટુંબને પ્રતિબંધી તે પાપી આજીવિકાને જલાંજલિ આપી, નિર્દોષ વ્યાપારથી આજીવિકા શરૂ કરી, સુલસે પોતાનું જીવન સુધાર્યું અને કુટુંબીઓને પણ તે પાપથી બચાવ્યા. આ પ્રમાણે પરંપરાથી કુળમાં ચાલતી આવેલી હિંસાને. જેમ સુલસે ત્યાગ કર્યો અને નિર્દોષ આજીવિકા કરી પિતાને. અને કુટુંબને ઉદ્ધાર કર્યો તેમ બીજાએ પણ પરંપરાથી ચાલી આવેલી હિંસાને ત્યાગ કર. તુલસ પિતાનું આયુષ્ય સુખમય પૂર્ણ કરી દેવલોકમાં દેવ થયે, અને ક્રમે મેક્ષ પણ જશે.
જે હિંસાને ત્યાગ ન કરે તે દાનાદિ સર્વ નિષ્ફળ છે
એમ આચાર્યશ્રી કહે છે दमो देवगुरूपास्तिर्दानमध्ययनं तपः । . सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥ ३१ ॥
જે હિંસાને ત્યાગ ન કરવામાં આવે તે ઈન્દ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. અર્થાત્ હિંસાને ત્યાગ કર્યા વિના તેઓ ફળ આપતા નથી. ૩૧.
હિંસાના ઉપદેશક શાસ્ત્રકાર પર આક્ષેપ विश्वस्तो मुग्धधीलोंकः पात्यते नरकावनौ । अहो नृशंसर्लोभान्धैर्हिसाशास्त्रोपदेशकैः ॥ ३२ ॥ અહો ! મહાન ખેદની વાત છે કે નિર્દય અને લોભથી આંધળા