SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વંશપરંપરાથી ચાલી આવેલી હિંસાને ત્યાગ કરનાર સુલસ ૧૦૯ દરમિત કામની ? એમનું જીવન જી યો તે તેના હૃદયપટ ઉપર સજજડ પડી ગયું. અહા ! શું મનુષ્યની મમત્વ દશા ! શું અધમજીવન ! શી અજ્ઞાનતા ! કે છેવટ સુધી પણ આવી પરાભવ પામેલી દશા ! જે માનવ જીંદગીમાં મનુષ્યનું જીવન ઉચ્ચતર ન થયું, તે જીંદગી જ શા કામની? અને તેવા સહાયકે પણ શા કામના ? આવી દુખિત દશાથી પિતાને હું બચાવ ન કરી શક્યો! તે આ મારી પાછળના કુટુંબીઓ પણ મારો બચાવ કેવી રીતે કરી શકશે? એ મારા પિતાના દાખલાથી મારે શિખવાનું અને સમજવાનું છે. આ પ્રમાણે વિરક્ત ભાવવાળા સુલસે પિતાના મરણનું કાર્ય સમાપ્ત કર્યું. એટલે કુટુંબીઓ આવી સુલસને કહેવા લાગ્યા કે : હે સુલસ ! આ તારા પિતાનું કાર્ય તું સંભાળ અને પહેલાની જેમ ચાલતી આવેલી આ આપણી જીવહિંસક વૃત્તિથી સર્વનું પષણ કર.' સુલસ કહે છે કે : “આવી પાપી વૃત્તિથી જીવન ચલાવવાનું હું બીલકુલ કરવાનો નથી. તમે સર્વ કુટુંબીઓ મળી કમાચેલ ધન ખાઈ જાઓ અને જીવહિંસાના પાપથી થતું નરકાશિદનું દુઃખ તે મારે એકલાને જ ભોગવવું કે?’ કુટુંબીઓ કહે છે કે : નહિં, નહિ; જેમ ધન વહેચી લઈએ છીએ તેમ પાપ પણ વહેચી લઈશું. તને એકલાને અમે દુઃખી થવા નહિ દઈએ. સુલ કહે છે : “ત્યારે તે બહુ સારૂં.' આ પ્રમાણે કહી એક કુહાડો લઈ નજીક ઉભેલા પાડાને મારવાના બાનાએ કરી ત્યાંથી ઘા ચૂકી પિતાના પગ ઉપર તે ઘા માર્યો અને વેદનાથી વિહળ થઈ જમીન ઉપર પડ્યો. મોઢેથી પકાર કરી કહેવા લાગ્યું કે મને ઘણું વેદના થાય છે માટે તમે સર્વ મળીને થેડી ડી વહેચી , જેથી મને થોડું દુઃખ ભોગવવું પડે. આ શબ્દ સાંભળી બધા દિમૂઢ બની ગયા. કેઈ કાંઈ વેદના લઈ ન શક્યા, ત્યારે સુલસ બે : “ભાઈએ, કેમ વાર લગાડે છે ? આ મારે છવ જાય છે.” કુટુંબીઓ બેલ્યા : “ભાઈ વેદના તે કેમ લઈ શકાય ? તે તે સર્વ કેઈને એકલાને ભેગવવી પડે છે.” સુલસ કહે છે : . જ્યારે તમે અહીં દુઃખ કે વેદનામાં બીલકુલ ભાગ લેતા નથી, તે
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy