________________
૧૦૮
ગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ હિંસામાં આસક્ત પરિણામવાળા કાળસૌકરિકને એક વખત શરીરમાં મહાવ્યાધિ ઉત્પન્ન થયે, દાહજ્વરથી તેનું શરીર બળવા લાગ્યું, તેને કઈ ઠેકાણે ચેન પડતું નહતું, મધુર ગીત સંગીત મહાદુઃખદ લાગતાં હતાં, મધુર રસે પણ ઝેર સમાન થઈ પડતા હતા. કમળ શય્યા પણ શૂળી સમાન લાગતી હતી અને સુમધી પદાર્થો દુર્ગધમય અનુભવાતા હતાં. સુલસ જેમ જેમ તેને સારા ઉપાયો કરતે હતો તેમ તેમ તેને વિશેષ દુખ થતું હતું. સુલસ મહાવીરસ્વામી પાસેથી ધર્મ પામ્યો હતે; તેને પરિણામ ઘણા કોમળ હતા. નિરંતર કસાઈના ધંધાવાળા કુટુંબમાં રહેવા છતાં તેનું અંતઃકરણ નિરંતર દયાથી ભીંજાયેલું જ રહેતું હતું. તે મહાવીર સ્વામીને પૂર્ણ ભક્ત હતે અને તેથી જ અભયકુમારની સાથે ઘર્મની ગાંઠથી જોડાયેલ હતે.
એક દિવસે તુલસે પિતાના પિતાની આવી વિપરીત સ્થિતિ વિષે અભયકુમારને જણાવ્યું. અભયકુમારે કહ્યું કે તારે પિતા મહા પાપી છે. તેની આખી જીંદગી રૌદ્રધ્યાનમાં વ્યતીત થઈ છે. અને તેણે પાપકર્મોને લઈને અવશ્ય નરકનું આયુષ્ય બાંધેલું તેવું જોઈએ. માટે આગામી કાળમાં જેવી સ્થિતિ અનુભવવી હોય તેવી સ્થિતિનું ભાન કાંઈક મરણ તૈયારી વેળાએ યા છેડે વખત પહેલાં થઈ આવે છે, માટે તું તેને જવરશાંતિ માટે ચંદનને લેપ કરો બંધ કરી વિષ્ટાને લેપ કર. સુવા માટે કેમળ શય્યા દૂર કરી કાંકરા અને કાંટાવાળી શય્યા બિછાવી આપ અને ખાવા વિગેરે માટે બધી વિપરિત વસ્તુઓ આપ્યા કર. તુલસે અભયકુમારની શિક્ષા માન્ય કરી, તે જ પ્રમાણે સર્વ કરી આપ્યું તેથી કાલસાકરિકને ઘણું સુખદાઈ લાગ્યું અને થોડા વખતમાં રૌદ્રધ્યાનમાં મરણ પામી તે સાતમી નરકે ગયે.
પિતાના પિતાના મરણથી અને તેની આવી અધમ સ્થિતિથી સુલસને ઘણુ લાગી આવ્યું. હજારે જીવની હિંસા કરી, પુષ્કળ દ્રવ્ય એકઠું કરેલું અહીં મૂકી તેના પિતાનું અંતિમ સ્થિતિનું ચિત્ર